Friday, 27 April 2012

ચમત્કારી પ્રયોગઃ વગર ડાયટિંગે વજન ઘટાડો


યોગ હસ્ત મુદ્રાઓને પણ સ્વાસ્થ્ય માટે ઘણું લાભ દાયક માનવામાં આવે છે. હસ્તમુદ્રાઓમાં સૌથી લાભ દાયક સૂર્ય મુદ્રાને માનવામાં આવે છે. આ મુદ્રા અનામિકા આંગળી જેને સુર્યની આંગળી કે રિંગ ફિંગર કહે છે. જે અંગુઠાથી કરાય છે. આ આંગળીનો સંબંધ સૂર્ય અને યૂરેનસ ગ્રહથી છે. સુર્ય ઉર્જા સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને યુરેનસ કામુકતા, અંર્તજ્ઞાન અને બદલાવનો પ્રતિક છે.

વિધિ -

સૂર્યની આંગળીને હથેળી તરફ વાળી તેને અંગુઠાથી દબાવો. બીજી આંગળઓ સીધી રાખો. તેને સુર્ય મુદ્રા કહે છે.

લાભ -

આ મુદ્રાને રોજ બે વખત 5 થી 15 મિનિટ માટે અભ્યાસ કરવાથી શરીરનું કોલેસ્ટોરોલ ઘટે છે.

- વજન ઓછું કરવા માટે આ મુદ્રા સરળ પ્રક્રિયા ચમત્કારિ રૂપમાં કારગત નિવડી છે.

- પેટ સંબંધી રોગોમાં પણ આ મુદ્રા ખૂબ જ લાભદાયક છે.

- આ જઠરાગ્નીને સંતુલિત કરી પાચન સંબંધી તમામ સમસ્યાઓથી મુક્તિ આપે છે.

- આને નિયમિત કરવાથી બેચેની અને ચિંતા ઓછી થઈ મગજ શાંત રહે છે.

- આ મુદ્રા શરીરનો સોજો મટાડી તેને હળવા અને મજબુત બનાવે છે.


જો આપણે આયુર્વેદનું માનીએ તો ચા નુક્શાનકારક છે જ તેમાં સ્વાસ્થ્યને હાનીકારક તત્વો હોય છે. પણ ચાની તમામ ખામી સામે એક મોટી ખુબી છે અને એ છે કે ચા વધતા વજનને કંન્ટ્રોલ કરે છે. આ વાત હાલના વૈજ્ઞાનિક શાધથી સાબીત થઈ છે.


 
 

શોધથી જાણવા મળ્યું કે ચામાં એંટીઓક્તિડેંટ હોય છે, જે વજન ઓછો કરવામાં સહાય કરે છે. પરંતુ હાલમાં થયેલ નવા સંશોધન પ્રમાણે જો ચા માં દૂધ મેળવવામાં આવે તો જાડાપણા સાથે લડનારા તત્વો એટલા પ્રભાવકારી રહેતા નથી.

ભારતીય વૈજ્ઞાનિક તરફથી થયેલા સંશોધન પ્રમાણે ચામાં જાડાપણું ઓછું કરવા માટેના ઘણા તત્વ હોય છે, પણ દૂધમાં આવતું પ્રોટિન તેની અસર ઓછી કરી દે છે.

ચામાં મળતા ફ્લેવિન્સ અને થિરોબિગિન્સ શરીરની ચર્બી ઘટાડવા અને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક થાય છે. અસમની ટી રિસર્ચ એસોસિએશનના સંશોધકોએ ઉંદર પર શોધ કરી અને તેમાં એવું સંશોધન મળ્યું કે વધારે ચરબી વાળો ખોરાક ખાનારા ઉંદરોનું વજન ઘટાડવામાં ફ્લેવિન્સ અને થિરોબિગિન્સ જેવા તત્વો વધારે મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ ગાયના દૂધમાં પ્રોટિન હોવાથી તેની અસર ઓછી થઈ જાય છે.

મરચાનો તીખો તમતમતો ઉપાય પણ છે ઘણા રોગમાં કારગત

 
 
ખાવાનું ચટપટું બનાવવા માટે લાલ મરચાનો પ્રયોગ ભારતમાં વર્ષોથી કરવામાં આવે છે. પણ આયુર્વેદ અનુસાર આપણા કિચનના દરેક મસાલામાં ઘણા ઔષધિય ગુણ છુપાયેલા છે. તેનાથી ઘણી નાની-મોટી પરેશાનીઓનો ઈલાજ કરવામાં આવે છે.

આજે અમે જણાવી રહ્યા છે લાલ મરચાના આવા ઘરેલું ઉપચાર...

- લાલ મરચાના સેવનથી મળ-મૂત્રમાં આવનાર સમસ્યાઓ દૂર થઈ જાય છે.

- લાલ મરચા ખાવાથી જાડાપણું ઓછું થાય અને ભોજન પછી વધારે કેલેરી બાળવામાં મદદ રૂપ થાય છે.

- લાલ મરચા પર કરવામાં આવેલ વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે તેમાંથી તત્વ રહેલ છે જે શરીરમાં થતા દરદનું નિવારણ કરવા માટે લાભ દાયક થાય છે.

- અશુદ્ધ પાણીથી પેટમાં થનારી પરેશાની છે તો લાલ મરચાની ચટણીને ગીમાં છાંટીને ખાવાથી ગંદા પણીનો પ્રભાવ પેટમાં પડતો નથી.

- જો કોઈને સાંપ ડંખી ગયો હોય થો મરચું તીખું નથી લાગતું. મરચું ખાવાથી ઝેર ઉતરી જાય છે.

- વીંછીનો ડંખ હોય તો લાલ મરચાનો લેપ લગાવાથી ઠંડક થાય છે.

- ગરમીમાં લીલા મરચા ખાવાથી તેના બીજ જો આપના પેટમાં છે તો ઝાડા થવાનો ડર ન રાખવો.

- લીલા મરચા ખાવાની સાથે ખાવો, અથાણું ખાવો તેમાં વિટામીન સી પર્યાપ્ત માત્રામાં હોય છે.

- જો ગળામાં ઈન્ફેક્શાન થઈ ગયું હોય કે ઉધરસ હોય તો લાલ મરચાની ચટણી જરૂર ખાવી જોઈએ.

- આપને જે રીતે પસંદ હોય તે રીતે લાલ મરચું ખાવો. લાલ મરચા ચણાના લોટમાં નાખીને પકોટા બનાવીને ખાવો.

નોંધ - સૌની તાસીર અલગ અલગ હોય છે તેથી આયુર્વેદિક ઉપાય નિષ્ણાંતોની સલાહ અનુસાર અપનાવવા.