Saturday, 12 November 2011

આ અમુક વસ્તુનુ ધ્યાન રાખો,તમે પણ 100 વર્ષ સુધી જીવી શકો છો

પહેલુ સુખ તે જાતે નર્યા – સંપુર્ણ સુખી જીવનની કામના સારા સ્વાસ્થય વગર કરવામાં આવતી નથી. કોઇની પાસે ગમે તેટલું અઢળક ધન હોય પણ સારા સ્વાસ્થય સમુ કોઇ પરમ સુખ નથી. આ માટે તો માનવી સ્વસ્થ શરીર અને લાંબી ઉંમર પામવા માંગતા હો તો પુર્ણતાની સાથે અને સુખનો આનંદ ઉઠાવતા આનંદમય રીતે જિંદગી જીવો. માત્ર કામ પ્રત્યેની સાચી લગન અને ઇમાનદારી જ પ્રગતિ નથી અપાવતી, પણ જિંદગીના પળને પણ વધારી દે છે.

જી હા, તમે પુરી રીતે મન લગાડીને કામ કરશો તો એક્સાઇઝ વગર તમે પણ શ્રેષ્ઠ સ્વાસ્થય પામી શકો છો. આમ તો ઉંમર વધારવા માટે વિટામીનની ગોળીઓ અને સંતુલિત ખાન-પાનની સલાહ આપવામાં આવે છે. પરંતુ એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આવી દવાઓશ્રેષ્ઠ સ્વાસ્થય માટે આવશ્યક છે પણ તેને લાંબી ઉંમર સાથે કોઇ નિસ્બત નથી.

તેના સિવાય લાંબા આયુષ્ય માટે દરેક મનુષ્યની નીચે લખેલા સુત્રોનું પાલન કરવું જરૂરી છે.

- અનિયંત્રિત કામુકતા અને વિષય- વિકારોથી દુર કરવા.

- રોજ સવારે ખાલી પેટે અંકુરિત ચણા કે મગનો નાશ્તો કરવાથી અથવા જમવામા સલાડ તરીકે લેવાથી તાકાત મળશે.

- જો તમે રોજ પોતાના જમવામાં એક સફરજન લો.

- રોજ સવારે નાસ્તામાં કે રાતે સુતા પહેલા દુધ પીવાથી સ્વાસ્થય માટે વિશેષ રૂપે ફાયદાકારક રહે છે.

- જમવામાં લીલી શાકભાજીઓ ચોક્કસ લેવી જોઇએ તેનાથી આપણા શરીરને ભરપુર વિટામીન અને આર્યન મળે છે.

- લીલા શાકભાજીઓની સાથે- સાથે તમારા જમવામાં સલાડનો મુખ્ય હિસ્સો છે. રોજ જમવાની સાથે જ્યારે પણ ઠીક લાગે તો સલાડ ચોક્કસ લો.

No comments:

Post a Comment