
ભગતી-દોડતી દુનિયામાં સમયની કમીને લીધે ઉતાવળમાં દરેક કામમાં જોવા મળે છે. કોઈની ઓફિસ પહોંચવાની ઉતાવળ છે, તો કોઈને ટ્રેન કે બસ પકડવાની ઉતાવળ, પછી બાળકો હોય કે યુવાન ઉતાવળમાં ને ઉતાવળમાં આવે છે તણાવ જ તણાવ.
આપણા પૂર્વજોની જીવનશૈલીને જોઈએ તો તમને કદાચ ક્યારેય ઉતાવળ ન હતી, એટલે જ તો તેમની ઉંમર સરેરાશ ઘણી વધુ હતી. વધુ જૂની વાત નથી. તમે વિતેલા જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોને જોઈ લો. પ્રેમીઓ અને પ્રેમીકાઓની પાસે પ્રેમના ગીતો ગાવા માટે જ ફૂર્સદના ક્ષણ હતા. પણ આજે તો દરેક ક્ષેત્રમાં ઉતાવળ જોવા મળે છે.
આ ઉતાવળની અસર આપણી દિનચર્યા ઉપર પડે છે પછી તે ખાવામાં હોય, કે સારી રીતે સૂવામાં હોય. વડીલોએ કહ્યું હતું કે જમવાનું હંમેશા તણાવમુક્ત થઈ ધીરે-ધીરે ચાવીને ખાવું જોઈએ, પણ આજે તેની કોઈની પાસે ફૂરસત જ ક્યાં છે. પરંતુ આપણા વડીલોની વાતોને આજના વૈજ્ઞાનિકીની અક્ષરશઃ દોહરાવી રહ્યા છે. ધીરે-ધીરે ચાવીને ખાવાથી આપણા દ્વારા લેવામાં આવેલ ભોજનનું સંતુલિત રીતે પાચન થાય છે. સાથે જ વજન ઓછું કરવામાં મદદ મળે છે. યુનિવર્સિટી ઓફ રોડ આઇલેન્ડના સંશોધકોએ બે અધ્યયનમાં આ વાત પ્રમાણિત કરવામાં આવી છે.
આ અધ્યયનમાં એવું જોવા મળ્યું છે કે, પુરુષોની ઉતાવળ ખાવા-પીવામાં મહિલાઓની સરખામણીમાં વધુ હોય છે. ઠીક એવી જ રીતે જાડા લોકોની ઉતાવળ દુબળા લોકોની સરખામણીમાં વધુ જોવા મળી છે. એ પણ જોવા મળ્યું હતું કે આપણા આખા અનાજની અપેક્ષા રીફાઈડ અનાજને જલદી ખાઈ લે છે. એસોસિયેટ પ્રોફેસર ઓફ ન્યૂટ્રિશન કેથલીન મીલેંસન તથા સ્નાનતક વિદ્યાર્થી એમેલી પોંટે તથા અમાન્ડા પોંટેએ આ શોધ અધ્યયન ઓરલેન્ડોમાં થયેલા ઓબેસીટી સોસાયટીના વાર્ષિક કોન્ફરન્સમાં રજૂ કર્યા છે.
No comments:
Post a Comment