Friday, 27 April 2012

ચમત્કારી પ્રયોગઃ વગર ડાયટિંગે વજન ઘટાડો


યોગ હસ્ત મુદ્રાઓને પણ સ્વાસ્થ્ય માટે ઘણું લાભ દાયક માનવામાં આવે છે. હસ્તમુદ્રાઓમાં સૌથી લાભ દાયક સૂર્ય મુદ્રાને માનવામાં આવે છે. આ મુદ્રા અનામિકા આંગળી જેને સુર્યની આંગળી કે રિંગ ફિંગર કહે છે. જે અંગુઠાથી કરાય છે. આ આંગળીનો સંબંધ સૂર્ય અને યૂરેનસ ગ્રહથી છે. સુર્ય ઉર્જા સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને યુરેનસ કામુકતા, અંર્તજ્ઞાન અને બદલાવનો પ્રતિક છે.

વિધિ -

સૂર્યની આંગળીને હથેળી તરફ વાળી તેને અંગુઠાથી દબાવો. બીજી આંગળઓ સીધી રાખો. તેને સુર્ય મુદ્રા કહે છે.

લાભ -

આ મુદ્રાને રોજ બે વખત 5 થી 15 મિનિટ માટે અભ્યાસ કરવાથી શરીરનું કોલેસ્ટોરોલ ઘટે છે.

- વજન ઓછું કરવા માટે આ મુદ્રા સરળ પ્રક્રિયા ચમત્કારિ રૂપમાં કારગત નિવડી છે.

- પેટ સંબંધી રોગોમાં પણ આ મુદ્રા ખૂબ જ લાભદાયક છે.

- આ જઠરાગ્નીને સંતુલિત કરી પાચન સંબંધી તમામ સમસ્યાઓથી મુક્તિ આપે છે.

- આને નિયમિત કરવાથી બેચેની અને ચિંતા ઓછી થઈ મગજ શાંત રહે છે.

- આ મુદ્રા શરીરનો સોજો મટાડી તેને હળવા અને મજબુત બનાવે છે.


જો આપણે આયુર્વેદનું માનીએ તો ચા નુક્શાનકારક છે જ તેમાં સ્વાસ્થ્યને હાનીકારક તત્વો હોય છે. પણ ચાની તમામ ખામી સામે એક મોટી ખુબી છે અને એ છે કે ચા વધતા વજનને કંન્ટ્રોલ કરે છે. આ વાત હાલના વૈજ્ઞાનિક શાધથી સાબીત થઈ છે.


 
 

શોધથી જાણવા મળ્યું કે ચામાં એંટીઓક્તિડેંટ હોય છે, જે વજન ઓછો કરવામાં સહાય કરે છે. પરંતુ હાલમાં થયેલ નવા સંશોધન પ્રમાણે જો ચા માં દૂધ મેળવવામાં આવે તો જાડાપણા સાથે લડનારા તત્વો એટલા પ્રભાવકારી રહેતા નથી.

ભારતીય વૈજ્ઞાનિક તરફથી થયેલા સંશોધન પ્રમાણે ચામાં જાડાપણું ઓછું કરવા માટેના ઘણા તત્વ હોય છે, પણ દૂધમાં આવતું પ્રોટિન તેની અસર ઓછી કરી દે છે.

ચામાં મળતા ફ્લેવિન્સ અને થિરોબિગિન્સ શરીરની ચર્બી ઘટાડવા અને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક થાય છે. અસમની ટી રિસર્ચ એસોસિએશનના સંશોધકોએ ઉંદર પર શોધ કરી અને તેમાં એવું સંશોધન મળ્યું કે વધારે ચરબી વાળો ખોરાક ખાનારા ઉંદરોનું વજન ઘટાડવામાં ફ્લેવિન્સ અને થિરોબિગિન્સ જેવા તત્વો વધારે મહત્વની ભૂમિકા નિભાવે છે. પરંતુ ગાયના દૂધમાં પ્રોટિન હોવાથી તેની અસર ઓછી થઈ જાય છે.

મરચાનો તીખો તમતમતો ઉપાય પણ છે ઘણા રોગમાં કારગત

 
 
ખાવાનું ચટપટું બનાવવા માટે લાલ મરચાનો પ્રયોગ ભારતમાં વર્ષોથી કરવામાં આવે છે. પણ આયુર્વેદ અનુસાર આપણા કિચનના દરેક મસાલામાં ઘણા ઔષધિય ગુણ છુપાયેલા છે. તેનાથી ઘણી નાની-મોટી પરેશાનીઓનો ઈલાજ કરવામાં આવે છે.

આજે અમે જણાવી રહ્યા છે લાલ મરચાના આવા ઘરેલું ઉપચાર...

- લાલ મરચાના સેવનથી મળ-મૂત્રમાં આવનાર સમસ્યાઓ દૂર થઈ જાય છે.

- લાલ મરચા ખાવાથી જાડાપણું ઓછું થાય અને ભોજન પછી વધારે કેલેરી બાળવામાં મદદ રૂપ થાય છે.

- લાલ મરચા પર કરવામાં આવેલ વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે તેમાંથી તત્વ રહેલ છે જે શરીરમાં થતા દરદનું નિવારણ કરવા માટે લાભ દાયક થાય છે.

- અશુદ્ધ પાણીથી પેટમાં થનારી પરેશાની છે તો લાલ મરચાની ચટણીને ગીમાં છાંટીને ખાવાથી ગંદા પણીનો પ્રભાવ પેટમાં પડતો નથી.

- જો કોઈને સાંપ ડંખી ગયો હોય થો મરચું તીખું નથી લાગતું. મરચું ખાવાથી ઝેર ઉતરી જાય છે.

- વીંછીનો ડંખ હોય તો લાલ મરચાનો લેપ લગાવાથી ઠંડક થાય છે.

- ગરમીમાં લીલા મરચા ખાવાથી તેના બીજ જો આપના પેટમાં છે તો ઝાડા થવાનો ડર ન રાખવો.

- લીલા મરચા ખાવાની સાથે ખાવો, અથાણું ખાવો તેમાં વિટામીન સી પર્યાપ્ત માત્રામાં હોય છે.

- જો ગળામાં ઈન્ફેક્શાન થઈ ગયું હોય કે ઉધરસ હોય તો લાલ મરચાની ચટણી જરૂર ખાવી જોઈએ.

- આપને જે રીતે પસંદ હોય તે રીતે લાલ મરચું ખાવો. લાલ મરચા ચણાના લોટમાં નાખીને પકોટા બનાવીને ખાવો.

નોંધ - સૌની તાસીર અલગ અલગ હોય છે તેથી આયુર્વેદિક ઉપાય નિષ્ણાંતોની સલાહ અનુસાર અપનાવવા.

 

Tuesday, 20 December 2011

દવા વગર જ શરીરની સ્થુળતાને દૂર કરશે, આ અચુક પ્રયોગ



આયુર્વેદની માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન વખતે ધરતી પર પડેલ અમૃત છાંટણામાંથી લસણની ઉત્પત્તિ થઇ.

- શરીરમાં રહેલી સ્થુળતા દૂર કરવા માટે લસણ એ રામબાણ ઉપાય છે.

સમુદ્ર મંથન વખતે 14 રત્નોમાંથી એક અમૃતને મેળવવા દેવતા અને દાનવો વચ્ચે વિવાદ થયો, બ્રહ્માએ દેવતા અને દાનવોને અલગ હરોળમાં બેસાડીને અમૃત વહેંચવાનું ચાલું કર્યું. તે સમયે રાહુ નામનો રાક્ષસ દેવતાઓની પંગતમાં રૂપ બદલીને બેસી ગયો અને અમૃત પાન કરી લીધું.

પરંતુ, જ્યારે વિષ્ણુને આ વાત માલુમ પડી ત્યારે તેમણે રાહુનું ગળું કાપી દીધુ પણ આ ઘટના દરમિયાન દાનવો દ્વારા રસપાન કરેલા અમૃત છાંટણા ધરતી પર પડ્યા. જેમાંથી લસણનો છોડ ઉદભવ્યો.

લસણનો રોજિંદા પ્રયોગથી વ્યક્તિના દાંત, માંસ, વાળ અને રંગમાં ક્યારેય ક્ષીણતા આવતી નથી. તે પેટના કીડા મારે છે અને ખાંસીને દૂર કરે છે. લસણ ચીકણો, ગરમ, તીખો, કબજિયાતને મારનારો તથા આંખોના રોગને દૂર કરનારો માનવામાં આવે છે. જો તમે સ્થુળતાથી પરેશાન હોય તો નીચે લખેલા લસણના અચુક પ્રયોગને અપનાવો.

- લસણની પાંચ- છ કળીઓને પીસીને છાશમાં પલાળી દો. તેમાંથી નીકાળીને હવે તેને પીસી લો. તેમાં વાટેલી હીંગ, અજમો અને વરિયાળીની સાથે સુંઠ અને સિંધાળુ, ફુદીનો મેળવીને ચુર્ણ બનાવી લો. આ ચુર્ણને રોજ અડધો તોલાની માત્રામાં ફાંકી લો.

- લસણની ચટણી તથા વાટેલા લસણને પાણીમાં ભેળવીને પીવું જોઇએ.

- લસણની બે કળીઓને વાટી લો તેમાં સફેદ જીરું અને વરિયાળી તથા સિંધાળુ મેળવીને ચુર્ણ બનાવી લો. તેનુ સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે સેવન કરો.

આખું વર્ષ બીમારીઓ દૂર ભાગશે, આ સ્વાસ્થય સભર દાણા ખાઓ

- શિયાળાની ઋતુ સ્વાસ્થય બનાવવા માટે શ્રેષ્ઠ ગણાય છે.

- શિયાળાની ઠંડીમાં શ્રેષ્ઠ સ્વાસ્થય બનાવવા અને આખું વર્ષ નીરોગી રહેવા તલનું સેવન અતિ ગુણકારી છે.


ઠંડીમાં લોકો પોતાના સ્વાસ્થયને જાળવવા લોકો નીત- નવા નુસખાઓ અપનાવે છે. જાત- જાતના આયુર્વેદિક પ્રયોગો પણ કરે છે.

પરંતુ આપણા વડવાઓ આપણે આખું વર્ષ નીરોગી અને સ્વસ્થ રહીએ તે માટે સ્વાદ અને સ્વાસ્થયને એક સાથે જોડ્યું.

મકર સંક્રાતિમાં ખવાતી તલસાંકળી અને તલની વિવિધ આઇટમ્સ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

તલનો ઉપયોગ ઠંડીમાં અનેક પ્રકારે કરવામાં આવે છે. જોકે નાના- નાના દાણા રૂપી આ તલ એ સ્વાસ્થયથી ભરપૂર છે. આ તલનો પ્રયોગ ઘી અને ગોળની સાથે કરવાથી ઘણાં પ્રકારના રોગ દૂર થાય છે. તે સાથે ઘરમાં બનેલી તલસાંકળી અને તલના લાડુએ શરીર માટે ફાયદાકારક રહે છે.

- જો કોઇ વ્યક્તિને વારંવાર યુરિન આવવાથી કે ખુલીને યુરિન ના આવવાની સમસ્યા હોય તો તેણે પાંચ ગ્રામ તલ અને પાંચ ગ્રામ ગૌખરુનો ઉકાળો બનાવીને પીવડાવવું. આરામ મળશે.

- તલના તેલમાં લીમડાના પાનને નાખો. આ તેલની માલિશથી ખીલ અને ચામડીના રોગથી છુટકારો મળે છે.

-તલના તેલથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. આ ઉપરાંત હ્રદય રોગને રોકવામાં પણ સહાયક રહે છે.

- ખાંસીથી છુટકારો મેળવવામાં તલ મદદ કરે છે. ચા બનાવતી વખતે તેમાં બે ગ્રામ તલ કે બે- ત્રણ તલના છોડના પાન અને થોડુ આદુ પણ નાખો. આ ચાના સેવનથી ખાંસી જલ્દી જ મટી જશે.

- રોજ સવારે 10 ગ્રામ કાળા તલને સારી રીતે ચાવી- ચાવીને ખાવાથી પેઢા સ્વસ્થ અને દાંત મજબુત થાય છે.

- તલ, સુંઠ, મેથી, અશ્વગંધા અને હળદરને બરાબર માત્રામાં મેળવીને પાવડર બનાવી લો. રોજ સવાર- સાંજ આનું સેવન કરવાથી આર્થરાઇટિસથી મુક્તિ મળે છે.

- તલનું સેવન કફ, સોજો, દર્દમાં રાહત પહોંચાડવામાં મદદ કરે છે.

- કાળા તલને શુદ્ધ ઘીમાં વાટી લો. તેમા પીસીને ગોળ ઓગાળીને બન્નેને મેળવીને ઠંડુ કરી લાડુ બાંધી લો. આ લાડુના સેવનથી બહુમુત્રની સમસ્યા ઠીક થઇ જશે.

શિયાળુ સ્પેશિયલ: ખજૂરનો આયુર્વેદિક પ્રયોગ,હેલ્ધી બનાવશે


જાડાપણું એ આપણા માટે એક ચિંતા સમસ્યારૂપે જોવાય છે તે રીતે પાતળા હોવાને કારણે કોન્ફિડન્સનો અભાવ વર્તાય છે. જો તમે પણ પાતળા હોવાને કારણે પરેશાન હોવ, નબળાઇ અને પાતળાપણાને કારણે હંમેશા મુક્તિ ચાહતા હો અને લોકોની અપેક્ષા અને ધૃણાથી છુટકારો પામવા માંગતા હો તો નીચે આપવામાં આવી રહેલ ખજુરના પ્રયોગને ચોક્ક્સ અજમાવો.

પ્રયોગ

ચાર ખજૂરને એક ગ્લાસમાં દૂધમાં ઉકાળીને ઠંડુ કરી લો. સવારે કે રાતે સુતા સમયે,ખજૂર ઠળિયા કાઢી દો અને છુટા પાડી ચાવી- ચાવીને ખાઓ અને દૂધ પી જાઓ. સતત 3- 4 માસ સેવન કરવાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે, ચહેરો ભરાવદાર બને છે. સુંદરતા પણ વધે છે અને વાળ લાંબા અને ઘેરા થાય છે અને બળ- વીર્યની વૃદ્ધિ થાય છે. આ પ્રયોગ નવયુવા, પ્રૌઢ અને વડીલો સૌ માટે ઉપયોગી અને લાભકારી છે. દમ

દમ એટલે કે શ્વાસના રોગીને દરરોજ સવારે – સાંજે 2-2 ખજૂરને ખુબ ચાવીને ખાવા જોઇએ, જેનાથી ફેફસાઓને શક્તિ મળે છે અને કફ તથા શરદીનો પ્રકોપ ઓછો થાય છે.

મીઠાનો અનોખો પ્રયોગ: દરેક પ્રકારના તાવ ઘુંટણિયા ટેકવશે

તાવ એ સ્વાસ્થય સાથે જોડાયેલી એક સામાન્ય સમસ્યા છે. બદલાતી સિઝનમાં તાવની ઝપેટએ સામાન્ય વાત છે. ક્યારેક વાયરલ ફીવરનાં રૂપે તો ક્યારેક ઘાતક મેલેરિયાનાં રૂપે આવામાં અલગ- અલગ નામોથી આ તાવ દરેકને પોતાની ઝપેટમાં લઇ લે છે. જેનાં કારણે ઘણીવાર મુશ્કેલીઓ પણ વેઠવવી પડે છે. ઘણાં તાવ એવાં છે કે જે ઘણાં દિવસ સુધી માણસને પોતાની ઝપેટમાં રાખીને તેને નબળો બનાવી દે છે.

પણ ગભરાશો નહીં, અહીં અત્યંત અસરકારક અને અચુક છે જે ગમે તેવા તાવમાં પણ પોતાનો પ્રભાવ દેખાડીને જ રહે છે - તે છે શેકેલું મીઠું

શેકેલું મીઠું બનાવવાની વિધિ


- ખાવામાં વપરાતા સાદા મીઠાને લઇને તેને તવા પર ધીમી આંચ પર શેકો. જયારે એનો રંગ બદલાઇ કોફી જેવો કાળા -ભુરા રંગનો થઇ જાય તો તેને ઉતારી ઠંડુ કરી લેવું. ઠંડુ થયા બાદ તેને એક શીશીમાં ભરી લેવું.જયારે તાવ આવવાનો છે એમ લાગે ત્યારે તાવ આવે તે પહેલાં એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું ભેળવી લઇ લો,જયારે તાવ ઉતરે ત્યારે પણ એક ચમચી મીઠું ફરીથી લઇ લો. આવું કરવાથી તાવ કદી પલટો નહી મારે.

વિશેષ- હાઇ બ્લડપ્રેશરથી પીડિત દર્દીઓએ આ પ્રયોગ ના કરવો.

- આ પ્રયોગ એકદમ ખાલી પેટે કરવો, એના પછી કંઇ ખાવું નહી અને ધ્યાન રાખવું કે આ દરમિયાન રોગીને ઠંડી ના લાગે.

- રોગીને વધારે તરસ લાગે તો પાણી ગરમ કરી ઠંડુ કરી આપવું.

- આ ઉપાય બાદ રોગીને 48 કલાક સુધી કંઇ ના ખાવા દો,ત્યારબાદ દુધ,ચા ,ફાડા-થુલી બનાવી ખવડાવો