જાડાપણું એ આપણા માટે એક ચિંતા સમસ્યારૂપે જોવાય છે તે રીતે પાતળા હોવાને કારણે કોન્ફિડન્સનો અભાવ વર્તાય છે. જો તમે પણ પાતળા હોવાને કારણે પરેશાન હોવ, નબળાઇ અને પાતળાપણાને કારણે હંમેશા મુક્તિ ચાહતા હો અને લોકોની અપેક્ષા અને ધૃણાથી છુટકારો પામવા માંગતા હો તો નીચે આપવામાં આવી રહેલ ખજુરના પ્રયોગને ચોક્ક્સ અજમાવો.
પ્રયોગ
ચાર ખજૂરને એક ગ્લાસમાં દૂધમાં ઉકાળીને ઠંડુ કરી લો. સવારે કે રાતે સુતા સમયે,ખજૂર ઠળિયા કાઢી દો અને છુટા પાડી ચાવી- ચાવીને ખાઓ અને દૂધ પી જાઓ. સતત 3- 4 માસ સેવન કરવાથી શરીરનું દુબળાપણું દૂર થાય છે, ચહેરો ભરાવદાર બને છે. સુંદરતા પણ વધે છે અને વાળ લાંબા અને ઘેરા થાય છે અને બળ- વીર્યની વૃદ્ધિ થાય છે. આ પ્રયોગ નવયુવા, પ્રૌઢ અને વડીલો સૌ માટે ઉપયોગી અને લાભકારી છે. દમ
દમ એટલે કે શ્વાસના રોગીને દરરોજ સવારે – સાંજે 2-2 ખજૂરને ખુબ ચાવીને ખાવા જોઇએ, જેનાથી ફેફસાઓને શક્તિ મળે છે અને કફ તથા શરદીનો પ્રકોપ ઓછો થાય છે.
No comments:
Post a Comment