
આયુર્વેદની માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન વખતે ધરતી પર પડેલ અમૃત છાંટણામાંથી લસણની ઉત્પત્તિ થઇ.
- શરીરમાં રહેલી સ્થુળતા દૂર કરવા માટે લસણ એ રામબાણ ઉપાય છે.
સમુદ્ર મંથન વખતે 14 રત્નોમાંથી એક અમૃતને મેળવવા દેવતા અને દાનવો વચ્ચે વિવાદ થયો, બ્રહ્માએ દેવતા અને દાનવોને અલગ હરોળમાં બેસાડીને અમૃત વહેંચવાનું ચાલું કર્યું. તે સમયે રાહુ નામનો રાક્ષસ દેવતાઓની પંગતમાં રૂપ બદલીને બેસી ગયો અને અમૃત પાન કરી લીધું.
પરંતુ, જ્યારે વિષ્ણુને આ વાત માલુમ પડી ત્યારે તેમણે રાહુનું ગળું કાપી દીધુ પણ આ ઘટના દરમિયાન દાનવો દ્વારા રસપાન કરેલા અમૃત છાંટણા ધરતી પર પડ્યા. જેમાંથી લસણનો છોડ ઉદભવ્યો.
લસણનો રોજિંદા પ્રયોગથી વ્યક્તિના દાંત, માંસ, વાળ અને રંગમાં ક્યારેય ક્ષીણતા આવતી નથી. તે પેટના કીડા મારે છે અને ખાંસીને દૂર કરે છે. લસણ ચીકણો, ગરમ, તીખો, કબજિયાતને મારનારો તથા આંખોના રોગને દૂર કરનારો માનવામાં આવે છે. જો તમે સ્થુળતાથી પરેશાન હોય તો નીચે લખેલા લસણના અચુક પ્રયોગને અપનાવો.
- લસણની પાંચ- છ કળીઓને પીસીને છાશમાં પલાળી દો. તેમાંથી નીકાળીને હવે તેને પીસી લો. તેમાં વાટેલી હીંગ, અજમો અને વરિયાળીની સાથે સુંઠ અને સિંધાળુ, ફુદીનો મેળવીને ચુર્ણ બનાવી લો. આ ચુર્ણને રોજ અડધો તોલાની માત્રામાં ફાંકી લો.
- લસણની ચટણી તથા વાટેલા લસણને પાણીમાં ભેળવીને પીવું જોઇએ.
- લસણની બે કળીઓને વાટી લો તેમાં સફેદ જીરું અને વરિયાળી તથા સિંધાળુ મેળવીને ચુર્ણ બનાવી લો. તેનુ સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે સેવન કરો.
No comments:
Post a Comment