Tuesday, 20 December 2011

મીઠાનો અનોખો પ્રયોગ: દરેક પ્રકારના તાવ ઘુંટણિયા ટેકવશે

તાવ એ સ્વાસ્થય સાથે જોડાયેલી એક સામાન્ય સમસ્યા છે. બદલાતી સિઝનમાં તાવની ઝપેટએ સામાન્ય વાત છે. ક્યારેક વાયરલ ફીવરનાં રૂપે તો ક્યારેક ઘાતક મેલેરિયાનાં રૂપે આવામાં અલગ- અલગ નામોથી આ તાવ દરેકને પોતાની ઝપેટમાં લઇ લે છે. જેનાં કારણે ઘણીવાર મુશ્કેલીઓ પણ વેઠવવી પડે છે. ઘણાં તાવ એવાં છે કે જે ઘણાં દિવસ સુધી માણસને પોતાની ઝપેટમાં રાખીને તેને નબળો બનાવી દે છે.

પણ ગભરાશો નહીં, અહીં અત્યંત અસરકારક અને અચુક છે જે ગમે તેવા તાવમાં પણ પોતાનો પ્રભાવ દેખાડીને જ રહે છે - તે છે શેકેલું મીઠું

શેકેલું મીઠું બનાવવાની વિધિ


- ખાવામાં વપરાતા સાદા મીઠાને લઇને તેને તવા પર ધીમી આંચ પર શેકો. જયારે એનો રંગ બદલાઇ કોફી જેવો કાળા -ભુરા રંગનો થઇ જાય તો તેને ઉતારી ઠંડુ કરી લેવું. ઠંડુ થયા બાદ તેને એક શીશીમાં ભરી લેવું.જયારે તાવ આવવાનો છે એમ લાગે ત્યારે તાવ આવે તે પહેલાં એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું ભેળવી લઇ લો,જયારે તાવ ઉતરે ત્યારે પણ એક ચમચી મીઠું ફરીથી લઇ લો. આવું કરવાથી તાવ કદી પલટો નહી મારે.

વિશેષ- હાઇ બ્લડપ્રેશરથી પીડિત દર્દીઓએ આ પ્રયોગ ના કરવો.

- આ પ્રયોગ એકદમ ખાલી પેટે કરવો, એના પછી કંઇ ખાવું નહી અને ધ્યાન રાખવું કે આ દરમિયાન રોગીને ઠંડી ના લાગે.

- રોગીને વધારે તરસ લાગે તો પાણી ગરમ કરી ઠંડુ કરી આપવું.

- આ ઉપાય બાદ રોગીને 48 કલાક સુધી કંઇ ના ખાવા દો,ત્યારબાદ દુધ,ચા ,ફાડા-થુલી બનાવી ખવડાવો

No comments:

Post a Comment