Tuesday, 20 December 2011

ખરી રહ્યા છે વાળ? 25ની ઉંમરમાં 50ના દેખાવો છો? તો આ કરો

 વાળ ખરવા અને તે ખરતા વાળ પર નવા વાળ નહી આવવાને કારણે ટાલ પડી જાય છે. તબીબી દ્રષ્ટિએ તેનું મુખ્ય કારણ રોમકુપ બંધ થવાથી માથાની ત્વચાનું સપાટ થવુ છે. ટાલ પડવી આ બીમારીનું આમ તો કોઇ વિશેષ કારણ નથી. છતાંય ઘણીવાર લોહી વિકાર, કોઇ ઝેરી પદાર્થનાં સેવન, દાદ કે એક્ઝિમાં પણ આ પાછળ કારણભુત હોઇ શકે.

ખરતા વાળ અટકે અને ટાલમાં નવા વાળ આવે એ માટે અમે અહીં ઘરગથ્થુ નુસખા લઇને આવ્યા છે.

- મીઠાના વધારે પડતા સેવનથી ટાલિયાપણું આવે છે. એક- એક ચમચી બારીક વાટેલુ મીઠુ, કાળી મરી, પાંચ ચમચી નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે.

- જો કોઇ એક જગ્યા પરથી વાળ જતાં રહ્યા હોય અને ત્યાં વાળ નવા ના આવી રહ્યા હોય તો ટાલિયાપણાની જગ્યાએ બીજીવાર વાળ આવે છે.

- વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ રગડવાથી પણ વાળ આવવા લાગે છે.

- વાળમાં લીમડાનું તેલ લગાડવાથી પણ રાહત મળે છે.

- જો વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો.

- અડદની દાળને ઉકાળીને પીસી લો. તેનો સુતા સમયે ટાલની જગ્યાએ લેપ કરો.

- લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે.

- કેળાનાં ગુદ્દાને લીંબુના રસમાં પી લો અને લગાડો જેનાથી લાભ થાય છે.

- દાડમનાં પાનમને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.

No comments:

Post a Comment