
વધુ વર્કલોડને લીધે થાક લાગવો, નબળાઈ મહેસૂસ થવી, આ બધા સારા લક્ષણો નથી. એવા લોકોને મોટાભાગે તાવ અને શરદી-ખાસી અને સ્નાયુતંત્રની સમસ્યાઓ ઘેરી લેતી હોય છે. એવી વખતે વારંવાર અનેક પ્રકારની એલોપથીક દવાઓ લેવી પણ શરીર માટે નુકસાનદાયક રહે છે. એટલા માટે વારંવાર ક્લિનિકના ચક્કર લગાવવા કરતા સારું છે કે તમે એકવાર આ સમસ્યાઓને જડથી દૂર કરવા માટે નીચે આપેલ નુસખાને ચોક્કસપણે અપનાવો.
સામગ્રીઃ-
ગુલાબનું ફૂલ, તુલસીના પાના, બ્રાહ્મી વટી, ખસખસ ને શંખપુષ્પી 300-300 ગ્રામ. બનફશા(જંગલી ફૂલ), જેઠીમધ, વરિયાળી, તજ 100-100 ગ્રામ. લાલ ચંદન, મોટી ઇલાયચી, તેજપત્તા, લવિંગ, સૂઠ, બદયાન, કાળી મરી અને અસલી કેસર 10-10 ગ્રામ બધાને સારી રીતે પીસી, ખાંડીને ઝીણુ ચૂર્ણ બનાવી લો.
સેવનની વિધિઃ-
-એક ચમચી ચૂરણ એક લીટર પાણીમાં નાખી ઉકાળો, યોગ્ય માત્રામાં ખાંડ અને દૂધ નાંખી સવારે ખાટી પેટે એક ગ્લાસ પીવો. આ માત્રા ચાર વ્યક્તિઓ માટે છે.
લાભઃ-
-આ ઉકાળાના સેવનથી શરીરના આંતરિક દોષ દૂર થઈ જાય છે, માનસિક અને શારીરિક થકાવટ અને નિર્બળતા દૂર થઈ જાય છે. માથાનો દુઃખાવો, ખાંસી, ગેસ, તાવ અને પેટના રોગોથી છુટકારો મળે છે. સ્મરણ શક્તિ અને મગજની તાકાત વધે છે. સ્નાયુ દુર્બળતા દૂર થાય છે. આ સંજીવની બૂટીને જેમ જ કામ કરે છે અને એટલુ જ લાભદાયી રહે છે. આ ઉકાળો પીધા પછી તમારે કોઈપણ જાતની અનેક ગોળીઓ લેવાની જરૂર નથી. આ ઉપાય રોજ સવારે કરવાથી આખો પરિવાર બીમારીઓથી બચેલ રહે છે અને તમારા રૂપિયા પણ બચે છે.
No comments:
Post a Comment