Tuesday, 20 December 2011

આ ઘરેલુ નુસખાઓથી મેળવો લહેરાતા સુંદર વાળ

લહેરાતા વાળ કોઇની પણ ખુબસુરતીમાં ચાર ચાંદ લગાડી શકે છે. પરંતુ ઘણીવાર એનાથી ઊલટું પણ થઇ શકે છે,જેનાથી આપણુ વ્યક્તિત્વ કદરૂપું લાગવા લાગે છે.

વાળોનું ખરવું એ પણ એક એવી સમસ્યા છે કે જેનાથી આપણે હેરાન થતાં હોઇએ છીએ અને આપણા લુકમાં તરત જ ચેન્જ લાવે છે.


સામાન્ય રીતે દરેકના ત્યાં મધ તો ઘણી સરળતાથી મળી જાય છે. મધના ઔષધીય ગુણ આપણે દરેક જાણીએ છીએ.મધની તાસીર ઠંડી હોય છે જે ઘણી બીમારીઓને દુર કરવામાં સક્ષમ છે.

મધથી ખરતા વાળ રોકી શકાય છે.

આજે નાની ઉંમરમાં વાળના ખરવાની સમસ્યા અવારનવાર જોતા હોઇએ છીએ. આ બીમારીથી બચવા માટે મધ અને તજએ અસરકારક ઉપાય છે.

ખરતા વાળને ગરમ ઑલિવ ઓઇલના તેલમાં એક ચમચી મધ અને તજના પાવડરની પેસ્ટ બનાવો. નહાવાના પહેલાં આ પેસ્ટને માથા પર લગાડી લો. 15 મિનિટ પછી વાળને ગરમ પાણીથી ધોઇ લો.

આમ કરવાથી થોડા દિવસોમાં ખરતા વાળની સમસ્યા દુર થાય છે.

તજ અને મધનું મિશ્રણ ઘણું અસરકારક હોય છે. આયુર્વેદના અનુસાર આના મિશ્રણથી ઘણી બીમારીઓનો ઇલાજ કરી શકાય છે.ત્વચા અને શરીરને ચમકદાર અને સ્વસ્થ રાખવા આ ઉપયોગ કરવો જોઇએ.

No comments:

Post a Comment