શું તમે ખરતા વાળથી પરેશાન છો? ટાલિયાપણાના કારણે તમારી ઉંમર વધુ દેખાવા લાગે છે?તમે તારા ખરતા વાળ માટે ભાત- ભાતના નુસખા અને તેલ લગાડીને પણ થાકી ગયા છો. જો તમે આ દરેક સમસ્યાથી હેરાન થતા હો તો દરેક મુશ્કેલીઓ માટેનો એક રામબાણ નુસખો અહીં આપી રહ્યા છે કે જેને અપનાવીને તમે ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
નુસખા –
આ બીમારીથી છુટકારો મેળવવા માટે યોગશાસ્ત્રમાં માણ્ડુની મુદ્રા સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવ્યો છે.
માણ્ડુની મુદ્રા વિધિ
આ મુદ્રા માટે કોઇ શાંત અને સ્વચ્છ વાતાવરણવાળા સ્થાન પસંદ કરો. તમને ફાવતા કોઇપણ આસનમાં બેસી જાઓ. હવે મોં બંધ કરીને જીભને તાળવામાં ગોળ- ગોળ ફેરવો હવે ઝરતી લાળને જીભના માધ્યમથી ગળે ઉતારો. આ માણ્ડુની મુદ્રા છે.
માણ્ડુની મુદ્રાના લાભ
આ મુદ્રાના નિયમિત અભ્યાસથી વાળ ખરવા બંધ થઇ જાય છે. કસમયે સફેદ થઇ જતાં વાળની સમસ્યા પણ આ મુદ્રાથી દુર થાય છે. તેનાથી તમારી ત્વચા ચમકદાર અને નીરોગી બને છે. આ મુદ્રાના નિયમિત અભ્યાસથી વાત- પિત્ત અને કફની સમસ્યા પણ દુર થઇ જશે.
No comments:
Post a Comment