
આયુર્વેદ પ્રમાણે લસણનો રોજિંદા જીવનમાં નિયમિત ઉપયોગથી તમે તમારી વધતી ઉંમરમાં પણ જુવાનીને અનુભવી શકો છો. - લસણ આંતરડાના કીડાઓને નીકાળે છે અને આંતરડાઓનું શુદ્ધિકરણ કરે છે.
- જખ્મોને જલ્દી જ ભરી દે છે.
- તમામ રોગોમાં કાચું લસણ વિશેષ ફાયદાકારક હોય છે. લગભગ વનસ્પતિ જાતની એકમાત્ર એવી વનસ્પતિ છે જેમાં દરેક વિટામીન અને ખનીજ છે, આ માટે લસણ વાળ માટે પણ ફાયદાકારક છે. માત્ર લસણ જ નહીં પરંતુ તેલથી પણ વાળની દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.
વાળનું ખરવું –
50 ગ્રામ સરસિયાનું તેલ લો, એક લસણની બધી કળીઓને છાલ ઉતારીને નાખી દો. ધીમા આંચે તેલમાં આ કળીઓને પકાવો. કળી બળી જાય પછી તેને ચાળીને બોટલમાં ભરી દો. રોજ રાતે સુતા પહેલા વાળમાં આ તેલની માલિશ કરો.
વાળને સફેદ થતા અટકાવવા –
ઉપરોક્ત બનેલા તેલની માલિશને અડધો કલાક કરવો જોઇએ.
વાળ કાળા કરવા માટે–
5 કળીઓને 50 મિ.ગ્રામ પાણીમાં પીસી લો પછી 10 ગ્રામ મધ મેળવીને રોજ સવારે મધ સાથે તેનું સેવન કરો.
No comments:
Post a Comment