Tuesday, 20 December 2011

કબજિયાત, એસીડિટીનો આનાથી સસ્તો કોઈ બીજો ઉપાય નથી


આપણા શરીરમાં મોટાભાગની બીમારીઓને લીધે પેટના રોગો થાય છે અને પેટના રોગોનું મુખ્ય કારણ હોય છે કબજિયાત. ખાસ કરીને મહાનગરોમાં વ્યસ્ત દિનચર્યામાં આપણે ન તો સમય ઉપર જમીએ છીએ કે ન તો નિત્યક્રિયાઓ ઉપર પૂરતું ધ્યાન આપીએ છીએ.

સામાન્ય રીતે કબજિયાત, બદહજમી, ગેસ, એસીડિટી જેવી સમસ્યાઓ ખૂબ જ લોકોમાં જોવા મળતી હોય છે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે ચમત્કારિક ઉપાય છે સુપ્ત પાદાંગુષ્ટાસન અને મયૂરાસન. આ આસન દરરોજ કરવાથી આ બધી સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જાય છે.

આસાન રીતઃ-

સુપ્ત પાદાંગુષ્ટાસનઃ-

સુપ્ત પાદાંગુષ્ટાસન સમતળ સ્થળે કામળો પાથરી સીધા લેટી જાઓ. શ્વાસ સામાન્ય રાખો. હવે જમણા પગને ઉપર ઉઠાવો. જમણા હાથથી પગને પકડીને ખેંચો. આ દરમિયાન શ્વાસ બહાર કાઢો. થોડીવાર આ અવસ્થામાં જ રહો. પછી ધીરે-ધીરે પગને છોડીને ફરીથી શરૂઆતની અવસ્થામાં આવી જાઓ. ત્યારબાદ ડાબા પગને ઉપર ઉઠાવો અને ડાબા હાથથી પગ પકડી ખેંચો. થોડીવાર પગ છોડી ફરી શરૂઆતની અવસ્થામાં આવી જાઓ. નીચે આપેલ ફોટોમાં તમે સુપ્ત પાદાગુષ્ટાસના ફોટોને જોઈ શકો છો.

મયૂરાસનની વિધિઃ-

-તેમાં શરીરની આકૃતિ મોર જેવી બની જાય છે. જમીન ઉપર આસન પાથરી સર્વપ્રથમ વ્રતાસન લગાવો. સાંથળો અને નિતંબને ઊઠાવીને આગળ તરફ ઝૂકો. બંને હાથ અને ઘુંટણોના બળે મોરની આકૃતિમાં આવો. હથેળીઓ અને પંજાઓ અને બંને કોણઈઓને નાંભીથી લગાવીને બંને પગને જમીનથી ઉપર ઊઠાવો. પગની પાછળની તરફથી ઊંચા કરો. શરીરનો ભાર ખભાઓ અને કોણી ઉપર નાખી ધરતીની સમાંતર શરીર ઉઠાવો. શરૂઆતમાં આ આસન એક જ વાર કરો. ધીરે-ધીરે તેની ક્ષમતા વધારતા જાઓ. મયૂરાસનની રીતને નીચે ફોટોમાં જુઓ.

આસન માટે સાવધાનીઃ- -આ આસનમાં શરૂઆતમાં પરેશાની આવી શકે છે. આથી નિયમિત અભ્યાસ કરવાથી તમે તેને સારી રીતેકરી શકો. પગને વધુ ન ખેંચવા.

આસાન લાભઃ-

-આ આસનો નિયમિત અભ્યાસથી પેટને લગતી અનેક સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે. નાભીને સારી કરવા માટે આ આસાન ઘણુ જ લાભદાયી છે. સાથે જ ગેસ, પેટદર્દ, કબજિયાત, અતિસાર, દુર્બળતા અને આળસ જેવી સમસ્યાઓ આપમેળે જ દૂર થઈ જાય છે. જઠર, સ્વાદુપિંડ તથા આંતરડાઓ માટે આ આસન તાત્કાલિક લાભ પહોંચાડનારા છે.



 
 
 
સુપ્ત પાદાંગુષ્ટાસન
 

No comments:

Post a Comment