Monday, 3 October 2011

ડાયાબીટિસ ઘટાડવો હોય તો ધીમે-ધીમે ખાવ


ડાયાબીટિસ થવાનો ખતરો ઘટાડવો હોય તો, ઉતાવળે ન ખાવ, પરંતુ ધીમે-ધીમે ચાવીને ખાવ. જાપાનના સંશોધકોએ કરેલાં એક અભ્યાસમાં એવું શોધી કાઢવામાં આવ્યું કે, ધીમે-ધીમે ખાનારાઓમાં તૂટેલા ગ્લુકોઝને જોડવાનું કામ બમણી ગતિએ થાય છે. જે લોકોમાં તૂટેલા ગ્લુકોઝને સહન કરવાની શક્તિ હોય છે, એવા લોકોના લોહીમાં ગ્લુકોઝની માત્રા વધુ હોય છે, પરંતુ તે ડાયાબીટિસ થવાનું કારણ જેટલી વધુ હોતી નથી.

જો સાવચેતીનાં પગલાં ભરવામાં નહીં આવે તો, તે ટાઇપ-૨ ડાયાબીટિસમાં રૂપાંતર થઇ શકે છે. આવા ૪૦થી ૫૦ ટકા લોકોને આગામી ૧૦ વર્ષમાં ટાઇપ-૨ ડાયાબીટિસ થઇ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઉતાવળે ખાવાથી ખતરો વધી જાય છે.

No comments:

Post a Comment