Friday, 7 October 2011

ડિપ્રેશનને બાય-બાય કહેવા બસ આટલું જ કરો

વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ભરપૂર પ્રમાણમાં ફળો અને શાકભાજીના સેવનથી કિશોરોમાં ડિપ્રેશન જેવી માનસિક બિમારી થતીનથી. ડેકિન યુનિવર્સિટીના ડોક્ટર ફેલિસ જૈકાએ જણાવ્યું કે, ત્રણ ચતુર્થાંશ માનસિક સમસ્યાઓ પુખ્ત થતાં પહેલાં કિશોરાવસ્થામાં જ થવા માંડે છે. કિશોરો માટે ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર લેવું ખુબ જ જરૂરી છે.

જ્યારે ડોક્ટરોએ ત્રણ હજાર કિશોરોએ અભ્યાસ કર્યો હતો. તેમની પાસે પ્રશ્નપત્ર ભરાવામાં આવ્યો હતો. જેમાં ૨૦૦૫ અને ૨૦૦૭માં તેમના ડાયટની વિગતો ભરવાની હતી. જેમાં જણાવ્યું કે ૨૦૦૫માં ફળો અને શાકભાજી ખાનારને ૨૦૦૭માં ડિપ્રેશનના ઓછા લક્ષ્ણો દેખાય હતા.

No comments:

Post a Comment