મૂંઝાઈ જતા અથવા તો પરિસ્થિતિથી આકુળ-વ્યાકુળ થઈ જતા લોકો વધુ વિશ્વાસુ અને વધુ ઉદાર હોઈ શકે તેવું એક અભ્યાસ દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ અંગે એક વ્યાપક અભ્યાસ કર્યો હતો જેમાં તેમણે એવું પુરવાર કરવા પ્રયાસ કર્યો છે કે મૂંઝાઈ જવું એ સારી બાબત છે, એટલું જ નહીં પણ વાસ્તવમાં મૂંઝવણ એ જે-તે વ્યક્તિની એક એવી લાગણીશીલ સ્થિતિ છે જેના ઉપર તમે વિશ્વાસ રાખી શકો છો.
આ સંશોધન સહકાર અથવા વિશ્વાસુ ટીમ ઊભી કરવા માગતા તેમજ બિઝનેસ ભાગીદારો શોધવા માગતા હોય તેમના માટે ઉપયોગી છે, એટલું જ નહીં, પરંતુ આવા લોકો ડેટિંગ અંગે પણ ઉપયોગી ટિપ્સ આપી શકે છે. જે લોકો સરળતાથી મૂંઝારો કે વ્યાકુળતા અનુભવતા હોય તેઓ એક પત્ની કે એક પતિત્વમાં પણ માનતા હોવાનું આ અભ્યાસનું તારણ છે.
‘મૂંઝવણની એક સંતુલિત સ્થિતિ એ સદ્ગુણનું લક્ષણ છે. અમારાં તારણો સૂચવે છે કે મૂંઝવણ એ સારી બાબત છે અને તેને દૂર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ,’ તેમ આ અભ્યાસનું નેતૃત્વ લેનાર મેથ્યુ ફિનબર્ગે જણાવ્યું હતું. મૂંઝવણની સ્થિતિનું સૌથી જાણીતું લક્ષણ ચહેરો નીચો કરી દેવો એ છે જ્યારે કેટલાક લોકો ચહેરો આંશિક રીતે ઢાંકી દેતા હોય છે અથવા આખો ચહેરો પણ હાથથી ઢાંકી દેવાતો હોય છે. આ અભ્યાસ માટે પ્રથમ તબક્કામાં કોલેજના ૬૦ વિદ્યાર્થીઓની મૂંઝવણભરી સ્થિતિનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩૮ અમેરિકી નાગરિકો ઉપર પણ આ અંગે પ્રયોગ કરવામાં આવ્યા હતા અને તેના આધારે સંશોધકો આ તારણ ઉપર આવ્યા હતા.
આ સંશોધન સહકાર અથવા વિશ્વાસુ ટીમ ઊભી કરવા માગતા તેમજ બિઝનેસ ભાગીદારો શોધવા માગતા હોય તેમના માટે ઉપયોગી છે, એટલું જ નહીં, પરંતુ આવા લોકો ડેટિંગ અંગે પણ ઉપયોગી ટિપ્સ આપી શકે છે. જે લોકો સરળતાથી મૂંઝારો કે વ્યાકુળતા અનુભવતા હોય તેઓ એક પત્ની કે એક પતિત્વમાં પણ માનતા હોવાનું આ અભ્યાસનું તારણ છે.
‘મૂંઝવણની એક સંતુલિત સ્થિતિ એ સદ્ગુણનું લક્ષણ છે. અમારાં તારણો સૂચવે છે કે મૂંઝવણ એ સારી બાબત છે અને તેને દૂર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ,’ તેમ આ અભ્યાસનું નેતૃત્વ લેનાર મેથ્યુ ફિનબર્ગે જણાવ્યું હતું. મૂંઝવણની સ્થિતિનું સૌથી જાણીતું લક્ષણ ચહેરો નીચો કરી દેવો એ છે જ્યારે કેટલાક લોકો ચહેરો આંશિક રીતે ઢાંકી દેતા હોય છે અથવા આખો ચહેરો પણ હાથથી ઢાંકી દેવાતો હોય છે. આ અભ્યાસ માટે પ્રથમ તબક્કામાં કોલેજના ૬૦ વિદ્યાર્થીઓની મૂંઝવણભરી સ્થિતિનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૩૮ અમેરિકી નાગરિકો ઉપર પણ આ અંગે પ્રયોગ કરવામાં આવ્યા હતા અને તેના આધારે સંશોધકો આ તારણ ઉપર આવ્યા હતા.
No comments:
Post a Comment