Monday, 3 October 2011

ગભૉવસ્થામાં શા માટે કસરત જરૂરી?

ગભૉવસ્થામાં કરેલી કસરત બાળકને ભવિષ્યમાં અલ્ઝાઈમરથી બચાવી શકે

ગભૉવસ્થા દરમિયાન મહિલાઓ જો હળવી કસરત કરવાનું ચાલુ રાખે તો ભવિષ્યમાં તેમનાં બાળકોને અલ્ઝાઈમર સહિત મજજાતંતુઓની અન્ય બીમારીઓથી બચાવી શકાય છે. આ અંગે સંશોધકોએ ગભૉવસ્થા દરમિયાન હળવી કસરત કરનાર અને શરીરને સંપૂર્ણ આરામ આપનાર એમ બે પ્રકારની મહિલાઓનો વ્યાપક અભ્યાસ કર્યો હતો અને તેના આધારે તેમણે તારણ કાઢયું કે, ગર્ભવતી માતા કસરતનો સહારો લે તો આવનાર બાળકના સ્વાસ્થ્ય ઉપર ઘણી હકારાત્મક અસર પડે છે.

જર્મનીમાં એસાનસ્થિત યુનિવર્સિટી હોસ્પિટલ એસાનનાં ડૉ. કેથી કેવેનીએ કહ્યું હતું કે, ગભૉવસ્થા દરમિયાન જેન અને પ્રોટીનમાં થતા ફેરફારો કસરતથી સંતુલનમાં રહી શકે છે અને તેના આધારે આવનાર બાળકને મગજને લગતી વિવિધ બીમારીમાંથી બચાવી શકાય છે. તેમણે જણાવ્યું કે, કસરત કરવાની યોગ્ય પદ્ધતિ બાબતે સાચી સમજ હોય અને તે સાથે નવી રીતે સારવારનો આશ્રય લેવામાં આવે તો અલ્ઝાઈમર જેવી બીમારી અટકાવી શકાય છે, એટલું જ નહીં, પરંતુ મગજ અને વર્તણૂંકને લગતી સમસ્યાઓમાંથી બચી શકાય છે.

સંશોધકોએ તેમના પ્રયોગમાં મૂશકોને પણ સામેલ કર્યા હતા અને તે દ્વારા સમગ્ર અભ્યાસને તાિર્કક બનાવવામાં આવ્યો હતો. આ માટે તેમણે અલ્ઝાઈમર પીડિત ઉંદરના નવા જન્મેલા બચ્ચાંને પાંચ મહિના સુધી અલગ પાંજરામાં રાખીને પ્રયોગો કર્યા હતા.

ગભૉવસ્થા દરમિયાન થતા ફેરફારો મહત્વના જર્મનીમાં એસાનસ્થિત યુનિવર્સિટી હોસ્પિટલ એસાનનાં ડૉ. કેથી કેવેનીએ કહ્યું હતું કે, ગભૉવસ્થા દરમિયાન જેન અને પ્રોટીનમાં થતા ફેરફારો કસરતથી સંતુલનમાં રહી શકે છે અને તેના આધારે આવનાર બાળકને મગજને લગતી વિવિધ બીમારીમાંથી બચાવી શકાય છે

No comments:

Post a Comment