Monday, 3 October 2011

ધૂમ્રપાનની આદત તમને ભૂલકણા બનાવશે



ધૂમ્રપાન શા માટે છોડી દેવું જોઈએ તેનું વધુ એક કારણ આ રહ્યું... ધૂમ્રપાન કરનાર લોકો તેમની ત્રીજા ભાગની રોજિંદી યાદશક્તિ ગુમાવી દેતા હોય છે. બ્રિટનમાં આ અંગે થયેલા અભ્યાસ દ્વારા એ પણ સ્પષ્ટ થયું છે કે જે લોકો ધૂમ્રપાન છોડી દે તેઓ તેમની યાદશક્તિ ફરીથી પાછી મેળવી શકે છે. રોજિંદી યાદશક્તિ એટલે વ્યક્તિની દૈનિક કામગીરી સાથે સંકળાયેલી બાબતો. જેમ કે, દિવસ દરમિયાન કરવા માટેનાં અગત્યનાં કામો, નામો યાદ રાખવા, ખરીદી માટેની ચીજો ન ભૂલવી વગેરે.

આ અભ્યાસ માટે સંશોધકોએ ૧૮થી ૨૫ વર્ષની વયજુથના ૭૦ લોકોને યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યારપછી આ લોકોને તેમણે જોયેલી નાની નાની વિગતો યાદ કરવા જણાવવામાં આવ્યું હતું. આ પૈકી જે લોકો ધૂમ્રપાન કરવાની ટેવવાળા હતા તેમાંના માત્ર ૫૪ ટકા લોકોને જ અમુક વિગતો યાદ રહી હતી, જ્યારે કદી ધૂમ્રપાન નહિ કરનાર ૮૧ ટકા લોકો વિગતવાર જવાબો આપી શક્યા હતા.

No comments:

Post a Comment