Friday, 7 October 2011

પાચનને લગતી કોઈપણ સમસ્યા દૂર કરવાનો અક્સીર ઇલાજ-ચોખા(Rice)




 
જો રાતના ભોજનમાં રોટલીની જગ્યાએ ભાતનો ઉપયોગ વધુ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારુ રહે છે. તેમાં પણ જો ત્રણ વર્ષ જુનો ભાત હોય તો તે સ્વાદિષ્ટ અને પચવામાં પણ વધુ સરળ હોય છે.

આ પ્રકારના ભાત એટલે કે ખિચડીનો રાતના ખાવામાં ઉપયોગ વધુ કરવામાં આવે તો પાચન ક્રિયા વધુ સરળ બનાવે છે તેમજ તેનાથી શરિર પણ શુદ્ધ રહે છે.

-ઝાડાની સમસ્યામાં જો ચોખાના લોટને શેકી તેમાં ગાયનું દૂધ મેળવી પીવામાં આવે તો તુંરત રાહત મળે છે.

-પેટ સાફ ન આવતું હોય તો ભાતમાં દૂધ અને ખાંડ મેળવી ખાવાથી પેટ સાફ આવે છે. તેનાથી ઉલટું જો ભાતમાં દહીં મેળવીને ખાવામાં આવે તો ઝાડા બંધ થાય છે

-જો કોઈ વ્યક્તિને ભાંગ ચઢી ગઈ હોય તો ચોખાને ધોઈ તે પાણીમાં તેમાં ચપટી ખાવાનો સોડા અને થોડી ખાંડ મેળવી પીવડાવવાથી નશો ઉતરે છે. આ ઉપાય મૂત્ર વિકારની સમસ્યામાં પણ કામ લાગે છે.

-સૂર્યદય પહેલાં ચોખાના ભાત બનાવી તેમાં 25 ગ્રામ મધ મેળવીને ખાવામાં આવે અને આ પ્રયોગ અઠવાડિયા સુધી કરવામાં આવે તો આધાશીશીની બીમારી 15 દિવસમાં દૂર થઈ જાય છે.

-જો આપ ગર્ભનિરોધનો ઉપયોગ કરવા માંગતા નથી કે ગર્ભનિરોધક ગોળીઓનું સેવન પણ કરવા ઈચ્છતા નથી તો ચોખા ધોયેલા પાણીમાં ચોખાનો છોડ પીસી તેને ગાળી લો તેમાં મધ મેળવી સ્ત્રીને પીવળાવી દો. આ કોઈપણ આડઅસર વગરનું સુરક્ષિત ગર્ભનિરોધનું કામ કરે છે.

No comments:

Post a Comment