ફ્લોરસન્ટ લાઈટને બદલે પરંપરાગત સફેદ ટ્યૂબલાઈટનો ઉપયોગ ઓછો નુકસાનકારક છે.
ઊર્જા બચાવતી ફ્લોરસન્ટ લાઈટ આંખો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેમ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ થયેલા આ સંશોધનમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોને સંતુલનમાં રાખવા નિયમિત લાઈટને બદલે ફ્લોરસન્ટ લાઈટના ઉપયોગથી આંખના રોગો વધી શકે છે.
અમેરિકન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર ફ્લોરસન્ટ લાઈટને કારણે મોતિયો અને પ્ટેર્જિયા જેવા યુવી સંલગ્ન આંખના રોગોમાં ૧૨ ટકાનો વધારો થઈ શકે છે. મુખ્ય સંશોધક ડૉ. હેલન વોલ્સે જણાવ્યું કે, કાર્બન ઘટાડવાના પ્રયાસોને પગલે ઊર્જાની વધુ બચત કરી શકે તેવી લાઈટિંગની શોધ કરવામાં આવી હતી. આખી દુનિયામાં અનેક લોકો ઘરે તેમજ કામના સ્થળે કૃત્રિમ લાઈટમાં કામ કરતા હોય છે. હજુ હમણાં સુધી આ માટે પરંપરાગત લાઈટનો ઉપયોગ થતો હતો.
પરંતુ ફ્લોરસન્ટ લાઈટનો ઉપયોગ શરૂ થવાથી લોકો હવે વધુ પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન હેઠળ આવી જાય છે. શહેરીકરણ અને કામનાં ભારણને પગલે પ્રજાને વધુને વધુ સમય આવી લાઈટ નીચે રહેવાનું બને છે. અલબત્ત ૫૦૦ નેનોમીટર જેટલું અંતર જળવાય તો અલ્ટ્રાવાયોલેટની સંભવિત અસરોથી બચી શકાય, તેમ તેમણે ઉમેર્યુંં હતું.
ઊર્જા બચાવતી લાઈટ કેટલી જોખમી?
અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને કારણે મોતિયો અને પ્ટેર્જિયા જેવી આંખોની તકલીફ થઈ શકે છે. આ સંજોગોમાં ફ્લોરસન્ટ લાઈટનાં યુવી કિરણોથી બચવું જરૂરી છે. પરંપરાગત લાઈટના સ્થાને ફ્લોરસન્ટ લાઈટના ઉપયોગથી ગ્રીન હાઉસ ગેસમાં ઘટાડો થશે, પરંતુ આવી તબદિલીથી આંખોના રોગોમાં વધારો થઈ શકે છે.
ઊર્જા બચાવતી ફ્લોરસન્ટ લાઈટ આંખો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે તેમ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નેતૃત્વ હેઠળ થયેલા આ સંશોધનમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોને સંતુલનમાં રાખવા નિયમિત લાઈટને બદલે ફ્લોરસન્ટ લાઈટના ઉપયોગથી આંખના રોગો વધી શકે છે.
અમેરિકન જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત આ સંશોધન અનુસાર ફ્લોરસન્ટ લાઈટને કારણે મોતિયો અને પ્ટેર્જિયા જેવા યુવી સંલગ્ન આંખના રોગોમાં ૧૨ ટકાનો વધારો થઈ શકે છે. મુખ્ય સંશોધક ડૉ. હેલન વોલ્સે જણાવ્યું કે, કાર્બન ઘટાડવાના પ્રયાસોને પગલે ઊર્જાની વધુ બચત કરી શકે તેવી લાઈટિંગની શોધ કરવામાં આવી હતી. આખી દુનિયામાં અનેક લોકો ઘરે તેમજ કામના સ્થળે કૃત્રિમ લાઈટમાં કામ કરતા હોય છે. હજુ હમણાં સુધી આ માટે પરંપરાગત લાઈટનો ઉપયોગ થતો હતો.
પરંતુ ફ્લોરસન્ટ લાઈટનો ઉપયોગ શરૂ થવાથી લોકો હવે વધુ પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન હેઠળ આવી જાય છે. શહેરીકરણ અને કામનાં ભારણને પગલે પ્રજાને વધુને વધુ સમય આવી લાઈટ નીચે રહેવાનું બને છે. અલબત્ત ૫૦૦ નેનોમીટર જેટલું અંતર જળવાય તો અલ્ટ્રાવાયોલેટની સંભવિત અસરોથી બચી શકાય, તેમ તેમણે ઉમેર્યુંં હતું.
ઊર્જા બચાવતી લાઈટ કેટલી જોખમી?
અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને કારણે મોતિયો અને પ્ટેર્જિયા જેવી આંખોની તકલીફ થઈ શકે છે. આ સંજોગોમાં ફ્લોરસન્ટ લાઈટનાં યુવી કિરણોથી બચવું જરૂરી છે. પરંપરાગત લાઈટના સ્થાને ફ્લોરસન્ટ લાઈટના ઉપયોગથી ગ્રીન હાઉસ ગેસમાં ઘટાડો થશે, પરંતુ આવી તબદિલીથી આંખોના રોગોમાં વધારો થઈ શકે છે.
No comments:
Post a Comment