Sunday, 9 October 2011

બસ, થોડુંક જીરૂ અને ગાયબ થઈ જશે મલેરિયા !!

 
 
બદલાતી સિઝનમાં તાવ કે શરદી-ખાંસી થઈ જવી તે એક સામાન્ય સમસ્યા છે. વરસાદ પછી મચ્છરોનો આંતક વધી જાય છે. એટલા માટે વરસાદની સિઝન પછી મલેરિયા ફેલાવા લાગે છે. મલેરિયા તાવ-શરદી લઈને આવે છે અને પસીનો થયા પછી ઉતરી જાય છે. આવો જોઈએ મલેરિયામાં શું કરવું જોઈએ....

તાવ ભગાડવા માટે કેટલાક ઘરેલું નુસખાઃ-

-મીઠું, કાળી મરી, લીંબુમાં ભરી ગરમ કરી ચૂસવાથી તાવની ગરમી દૂર થઈ જાય છે. દરરોજ બેવાર ચોક્કસ કરો.

-બે લીંબુનો રસ છાલ સહિત 500 મિ.લી. પાણીમાં માટી કે સ્ટીલની કુડલીમાં રાખો. સવારે તેને ઉકાળી પી જાઓ. મલેરિયા આવવાનો બંધ થઈ જશે.

-બે નારંગીની છાલને બે કપ પાણીમાં ઉકાળો, અડધુ પાણી રહે ત્યારે ગળીને ગરમ-ગરમ પી જાઓ.

-જ્વરમાં સફરજન ખાવાથી ઝડપથી સારું થઈ જાય છે.

-મલેરિયામાં જામફળ લાભદાયી હોય છે. મલેરિયામાં જ્વર આવતા પહેલા સફરજનથી તાવ આવવાના સમયે તાવ નથી આવતો.

-એક ચમચી જીરૂ પીસી લો. જીરાને ત્રણ ગણા ગોળ તેમાં મેળવીને તેની ત્રણ ગોળી બનાવી લો અને એક-એક ગોળી ખાઓ.

-ધાણા અને સૂઢ બંને પીસી અને સમાન માત્રામાં મેળવી દરરોજ ત્રણવાર પીવાથી પણ તાવમાં ઘણી રાહત મળે છે.

-છાસ પીવાથી દરે ચોથા દિવસે આવતા મલેરિયા પણ સારો થઈ જાય છે.

-લસણનો રસ હાથ પગ અને નખ ઉપર તાવ આવતા પહેલા લેપ કરો અને એક ચમચી લસણનો રસ, એક ચમચી તલના તેલમાં મેળવી એક-એક કલાકે ટીપુ-ટીપુ ચૂસતા રહો.

-સિંધુ નમકનો એક ભાગ, દેશી ખાંડના ચાર ભાગ, બંને મેળવીને થોડી પીસી લો. અડધી ચમચી ત્રણવાર ગરમ પાણી સાથે લેવાથી મલેરિયાનો તાવ આવતો બંધ થઈ જશે, જો કે આ બધા નુસખા અજમાવવાની સાથે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

No comments:

Post a Comment