મોટાભાગે આપણા મગજમાં ખાન-પાન સાથે સંબંધિત અનેક ભ્રમણાઓ હોય છે, એવી જ આપણા ભારતીય ભોજનમાં પીરસવામાં આવતી વાનગીઓની સાથે થોડી માત્રામાં ખાવામાં આવતા ઘીને લઈને છે. લોકો તેને નુકસાનદાયક સમજી આજે તેને ખાવાથી બચવા લાગ્યા છે. આ બાબતે આપણે એવું વિચારવા લાગીએ છીએ કે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ, ટાઇગ્લેસરાઈડનું સ્તર તો નહીં વધે ને. આયુર્વેદમાં તેનાથી વિરુદ્ધ ઘીને એક રસાયણ ઔષધી માનવામાં આવી છે. આ વાત સત્ય છે કે કેટલાક વર્ષોમાં ભારતમાં પણ હૃદયરોગીઓની સંખ્યામાં વધારો થયો છે. તેની પાછળ ખાનપાન પણ એક કારણ હોઈ શકે છે પરંતુ તેની માટે માત્ર ઘી ખાવાથી બચવું, તે યોગ્ય નથી.
ઘી ભારતીય વાનગીઓ, આયુર્વેદિક ઔષધિઓનું પ્રાચીનકાળથી જ એક ઘટક રહ્યું છે, આયુર્વેદના ગ્રંથોમાં તો ઘીને અનેક ઔષધિય મહત્વ બતાવવામાં આવ્યા છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઘીને અન્ય ઔષધિઓ સાથે મેળવવામાં આવે ત્યારે પોતાના ગુણોને ન છોડીને તે ઔષધિના ગુણોને પણ પોતાની અંદર સમાવેશ કરી લે છે- છેને કમાલની વાત, આ તો અનુકરણિય પણ છે, પછી ડર કેવો?
ભારતીય ગૃહિણીઓ તેને એક વિશેષ વિધિથી બનાવે છે. જેમાં ગાયના દૂધને લાકડા કે માટીના વાસણમાં રાખી છે, પહેલા તે દહીં ફેરવાઈ જાય છે, ત્યારબાદ દહીને ફેરવીને માખણ પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારબાદ તે માખણને ત્યાં સુધી ઉકાળવામાં આવે છે જ્યાં સુધી દૂધના ઠોસ કણ પણ ઘીમાં ન ફેરવાઈ જાય. ત્યારબાદ જે વધારાનું છાંશ, દહીં, પાણી હોય તે બળીને નીચે બેસી જાય છે. ત્યારબાદ તેને અલગ વાસણમાં કાઢી લેવામાં આવે છે. ઠંડુ થાય ત્યારે વાસણને સારી રીતે બંધ કરી દેવામાં આવે છે. બસ, ધ્યાન રાખવું કે ઘી ક્યારે પણ ફ્રિજમાં ન રાખવું. આયુર્વેદની અનેક દવાઓમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તથા આ માટે ગાયના ઘીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આયુર્વેદના આ ઔષધીઓને ઔષધિસિદ્ધાંત ધૃતના નામથી ઓળખવામાં આવે છે જે નીચે પ્રમાણે છેઃ
ફળધૃતઃ- ખૂન બનાવનાર, વાંઝણી સ્ત્રીને સંતાન યોગ્ય બનાવનાર,
ત્રિફલાદીધૃતઃ- બધા પ્રકારના ઉદર તથા કૃમિ રોગોથી દૂર રાખનાર,
વૃહતકલ્યાણકધૃતઃ- ગર્ભ ન રહેતો હોય તે સ્ત્રી માટે અંત્યંત ઉપયોગી ઔષધિ,
અશોકધૃતઃ- લૂકોરિયા, કમર દર્દ વગેરેમાં લાભકારી ઔષધિ,
નવીનધૃતઃ- રૂચિકર, તૃપ્તિકારક, દુર્બળતા દૂર કરનાર,
પુરાણધૃતઃ- જૂનું ઘીઃ- 10 વર્ષ જૂનું ઘી જખમ, ખાંસી, મૂર્છા, મગજના વિકાર, ઉન્માદ અને મિર્ગી વગેરે રોગોમાં ફાયદેમંદ,
પચ્ચતિક્તધૃતઃ- ત્વચા રોગોમાં પ્રભાવશાળી હોય છે. આયુર્વેદિકના મતે ગાયના ઘી અન્ય બધા ઘીની સરખામણીએ સ્વાદિષ્ટ, બુદ્ધિ, ક્રાંતિ, સ્મરણશક્તિને વધારનાર, વીર્યવર્ધક, અગ્નિદીપક, પાચક, યૌવનને સ્થિર રાખનાર ગુણોથી યુક્ત હોય છે.
તો એટલા માટે જ ન ઘી વર્ષોથી ખવાતું આવ્યું છે, સદીઓથી, બસ જરૂરિયાત છે શુદ્ધ તથા સંયમિત માત્રામાં તેના સેવનની.
ઘી ભારતીય વાનગીઓ, આયુર્વેદિક ઔષધિઓનું પ્રાચીનકાળથી જ એક ઘટક રહ્યું છે, આયુર્વેદના ગ્રંથોમાં તો ઘીને અનેક ઔષધિય મહત્વ બતાવવામાં આવ્યા છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઘીને અન્ય ઔષધિઓ સાથે મેળવવામાં આવે ત્યારે પોતાના ગુણોને ન છોડીને તે ઔષધિના ગુણોને પણ પોતાની અંદર સમાવેશ કરી લે છે- છેને કમાલની વાત, આ તો અનુકરણિય પણ છે, પછી ડર કેવો?
ભારતીય ગૃહિણીઓ તેને એક વિશેષ વિધિથી બનાવે છે. જેમાં ગાયના દૂધને લાકડા કે માટીના વાસણમાં રાખી છે, પહેલા તે દહીં ફેરવાઈ જાય છે, ત્યારબાદ દહીને ફેરવીને માખણ પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારબાદ તે માખણને ત્યાં સુધી ઉકાળવામાં આવે છે જ્યાં સુધી દૂધના ઠોસ કણ પણ ઘીમાં ન ફેરવાઈ જાય. ત્યારબાદ જે વધારાનું છાંશ, દહીં, પાણી હોય તે બળીને નીચે બેસી જાય છે. ત્યારબાદ તેને અલગ વાસણમાં કાઢી લેવામાં આવે છે. ઠંડુ થાય ત્યારે વાસણને સારી રીતે બંધ કરી દેવામાં આવે છે. બસ, ધ્યાન રાખવું કે ઘી ક્યારે પણ ફ્રિજમાં ન રાખવું. આયુર્વેદની અનેક દવાઓમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તથા આ માટે ગાયના ઘીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આયુર્વેદના આ ઔષધીઓને ઔષધિસિદ્ધાંત ધૃતના નામથી ઓળખવામાં આવે છે જે નીચે પ્રમાણે છેઃ
ફળધૃતઃ- ખૂન બનાવનાર, વાંઝણી સ્ત્રીને સંતાન યોગ્ય બનાવનાર,
ત્રિફલાદીધૃતઃ- બધા પ્રકારના ઉદર તથા કૃમિ રોગોથી દૂર રાખનાર,
વૃહતકલ્યાણકધૃતઃ- ગર્ભ ન રહેતો હોય તે સ્ત્રી માટે અંત્યંત ઉપયોગી ઔષધિ,
અશોકધૃતઃ- લૂકોરિયા, કમર દર્દ વગેરેમાં લાભકારી ઔષધિ,
નવીનધૃતઃ- રૂચિકર, તૃપ્તિકારક, દુર્બળતા દૂર કરનાર,
પુરાણધૃતઃ- જૂનું ઘીઃ- 10 વર્ષ જૂનું ઘી જખમ, ખાંસી, મૂર્છા, મગજના વિકાર, ઉન્માદ અને મિર્ગી વગેરે રોગોમાં ફાયદેમંદ,
પચ્ચતિક્તધૃતઃ- ત્વચા રોગોમાં પ્રભાવશાળી હોય છે. આયુર્વેદિકના મતે ગાયના ઘી અન્ય બધા ઘીની સરખામણીએ સ્વાદિષ્ટ, બુદ્ધિ, ક્રાંતિ, સ્મરણશક્તિને વધારનાર, વીર્યવર્ધક, અગ્નિદીપક, પાચક, યૌવનને સ્થિર રાખનાર ગુણોથી યુક્ત હોય છે.
તો એટલા માટે જ ન ઘી વર્ષોથી ખવાતું આવ્યું છે, સદીઓથી, બસ જરૂરિયાત છે શુદ્ધ તથા સંયમિત માત્રામાં તેના સેવનની.
No comments:
Post a Comment