
પહેલુ સુખ તે જાતે નર્યા – આ કહેવતથી આપણે બહુ સારી રીતે પરિચિત છીએ, એટલે જ તો નીરોગી જીવનની સામે દુનિયાનાં દરેક સુખને પાંગળા ગણવામાં આવે છે. સ્વસ્થ શરીરનાં મહત્વ પર આપણાં વડલાઓએ ખુબ જ ભાર આપ્યો છે. આ જ કારણથી તો પ્રાચીન સમયમાં યોગની શોધ કરી હતી. આ સાથે રોજ સવારે ચાલવા જવું અને વહેલા ઊઠવું સ્વાસ્થય માટે લાભદાયી માનવામાં આવ્યુ છે.
તાજેતરનાં એક રિસર્ચમાં જણાવવામાં આવ્યુ છે કે જો કોઇપણ વ્યક્તિનાં જીવનભર આ બે ઉપાયોને અજમાવે તો શારીરિક અને માનસિક રૂપથી બીમાર અને નબળાં થવાની સંભાવના લગભગ નહિવત થઇ જાય છે.સૂર્યથી જોડાયેલા આ ઉપાયો આપણી ઇમ્યુન સિસ્ટમને અત્યંત મજબુત બનાવે છે.
- ઊગતા સૂરજની કિરણોનો બની શકે તેટલો વધારે સ્પર્શ તમારા શરીરને થવા દો,આની સાથે જો મોર્નિંગ વૉક, આસન,પ્રાણાયામ કે ધ્યાન કરવામાં આવે તો બમણો લાભ થાય છે.
- સપ્તાહમાં ઓછામા ઓછા 2 દિવસ સૂર્ય સ્નાન (સન બાથ) કરો એટલે કે સૂર્ય કિરણોની સાથે નહાવો તેનાથી તમારા શરીરની અને મનની રોગ- પ્રતિરોધક ક્ષમતા ઘણી વધશે.
No comments:
Post a Comment