જો તમે મેદિસ્વતા ઘટાડવા માંગતા હો તો જમતા પહેલાં તમારે બે ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમારી મેદિસ્વતા ડાયટિંગ કરતા લોકોની સરખામણીએ ઝડપથી ઘટશે.
અમેરિકન સંશોધનકર્તાઓનો દાવો છે કે તેનાથી ભોજનનું પ્રમાણ ઘટશે અને પેટ પણ ભરેલું લાગશે. તેમણે જણાવ્યું કે, વજન ઘટાડતી દવાઓ ચરબી ઓગાળવાની શરીરની ક્ષમતામાં ઘટાડો કરી નાખે છે. સાથે જ તે મગજમાં પણ એવા રાસાયણિક પરિવર્તન લાવે છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે. પરંતુ તેનાથી કુપોષણનું જોખમ ખડું થઈ જાય છે. આથી જમતા પહેલાં પાણી પી લેવું વધુ હિતાવહ છે.
સંશોધનકર્તાઓએ કોલ્ડ ડ્રિંક અને મીઠાઈઓથી પણ દૂર રહેવાની સલાહ આપી છે.
No comments:
Post a Comment