Monday, 8 August 2011

ફેસબૂક-ટ્વિટર વાપરનારાં, આટલું વાંચી લેજો!

ફેસબૂક ટ્વિટર (facebook & twitter)  વાપરનારા લોકોની એકાગ્રતા ઘટી રહી છે
ફેસબૂક અને ટ્વિટરે પોતાની જાતથી જ ઓબ્સેસ્ડ એવા આત્મશ્લાઘામાં રચ્યા પચ્યા રહેતા, દરેક ચીજ પર અત્યંત ઓછું ધ્યાન આપી શકતા અને પોતાના જીવનની નાનામાં નાની બાબતો પર પણ સતત ફીડબેક ઇચ્છતા લોકોની એક આખી પેઢી તૈયાર કરી છે.

ઓકસફર્ડ યુનિવર્સિટીના ફાર્માકોલોજીના પ્રોફેસર બેરોનેસ ગ્રીનફિલ્ડનું આ તારણ છે. એમણે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનું ઓબ્ઝર્વેશન કરીને તારણ કાઢયું છે કે તેના પર વારંવાર જતાં લોકો નાનાં બાળકો જે રીતે બોલતાં હોય છે કે ‘જો મમ્મી, આ મેં કર્યું!’ એવું બાલશિ વર્તન કરવા માંડે છે.

એમનું તારણ છે કે સોશિયલ સાઇટ્સનું અને કમ્પ્યૂટર ગેમ્સનું વળગણ મગજનું રિવાયિંરગ કરે છે. આનું પરિણામ ઘટેલી એકાગ્રતા, તાત્કાલિક સંતોષ અને વાતચીત દરમિયાન નબળા આઇ કોન્ટેકટ જેવાં નોન-વર્બલ સ્કિલ્સમાં ઘટાડા રૂપે બહાર આવે છે. હમમમ! વાત તો દમવાળી લાગે છે. સોચો

No comments:

Post a Comment