
આમ તો હંમેશા કહેવાય છે કે ભોજનને ખૂબ સારી રીતે ચાવવું જોઈએ. પરંતુ એક અભ્યાસ અનુસાર જો વજન ઘટાડવું હોય તો મોટા કોળિયા સાથે ઓછું ચાવવાથી ફાયદો થાય છે.
કેન્ટબરી યુનિવર્સિટીની ટીમને એ જાણવા મળ્યું હતું કે મોટા કોળિયામાં ઓછું ચાવીને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું જ હોય તેમ લાગે છે. આ રીતે ભોજન લાંબો સમય પેટમાં પચવાથી નવો ખોરાક અંદર જતો નથી અને વજન ઘટે છે. આ પદ્ધતિથી શરીરને ઊર્જા પણ ધીમે ધીમે મળે છે અને તે જરૂર પ્રમાણે વપરાતી પણ જાય છે.
સંશોધકોએ ‘એસ્પાયર ફોર લાઈફ’-Aspire for life નામથી ઓનલાઈન ડાયેટ પ્રોગ્રામ પણ બનાવ્યો છે.
No comments:
Post a Comment