Wednesday, 17 August 2011

કેમ ભાવે છે માત્ર મમ્મીના હાથનુ ખાવાનુ?


સામાન્ય રીતે તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે માંનો હાથનુ ખાવાનુ એટલે લાજવાબ. કારણ કે માંના હાથે બનાવેલા ભોજનનો સ્વાદ બીજા કોઈએ બનાવેલા ભોજનમાં નથી આવતો. માંના હાથે બનેલા ભોજનમાં એવો સ્વાદ હોય છે જે તમે જીવનભર નથી ભૂલી શકતા. એવુ નથી કે માં કોઈ અલગ પ્રકારની રેસિપિથી રાંધે છે.

આ માં માટે ઈમોશનલ પ્રેમ માત્ર નથી પણ ડાયેટિશિયન અમિતા સિંહનુ કહેવુ છે કે આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. બાળકમાં ટેસ્ટ બર્ડનુ નિર્માણ જન્મની સાથે શરૂ થઈ જાય છે અને આ દરમિયાન તે માતાના હાથે બનેલા ખોરાકનો સ્વાદ માણે છે. માતાના હાથનુ ભોજન ખાઈને જ બાળકનુ ટેસ્ટ બર્ડ પરિપક્વ બને છે. આ માટે તે માતાના હાથના ભોજનનો સ્વાદ જીવનભર નથી ભૂલી શકતો. જ્યારે પણ તેણે બહારનુ ખાવાનો સમય આવે છે ત્યારે થોડો ટાઈમ તો તેને ભાવે છે પણ ત્યારબાદ તેને માતાના હાથના સ્વાદની યાદ આવી જાય છે.

ઘણા ઘરોમાં તો આ લડાઈ ઝઘડાનું કારણ પણ બની જાય છે કારણ કે પત્નીએ સાંભળવુ પડે છે કે તારા હાથમાં માતાના ભોજન જેવો સ્વાદ નથી.

No comments:

Post a Comment