Thursday, 29 September 2011

બસ, 15 મિનિટ.... તમારો ગમે તેવો થાક છુમંતર થઇ જશે



દુનિયાની કોઇ એવી ચિકિત્સા પદ્ધતિ નહી હોય કે જે વ્યક્તિના તણાવને છુટકારો આપવાના નામે ઘણી થેરાપીનું પ્રચલન કર્યુ હોય.

અહીંયા અમે કેટલાક કુદરતી અને એ સાથે વૈજ્ઞાનિક પ્રયોગ બતાવીએ છીએ કે જે માત્ર અમુક જ મિનિટોમાં દરેક પ્રકારના શારીરિક અને માનસિક તણાવથી છુટકારો આપે છે.

આ પ્રયોગની સાચી ઓળખ અને પ્રભાવને તપાસવા માટે લાંબી રાહ જોવાની જરાય જરૂર નથી. માત્ર 15 જ મિનિટોમાં તમે આ પ્રયોગના ચમત્કારી પ્રભાવથી પરિચિત થશો.

પ્રયોગ –

દિવસભરના તમામ કાર્યોથી નિવૃત્ત થઇ સુતા પહેલા આ પ્રયોગ કરવો જોઇએ. 1 ડોલમાં સામાન્ય ગરમ પાણી કે નવશેકું પાણી ભરી લો.

આ પાણીમાં લગભગ 4 ચમચી સાધારણ અને સસ્તુ મીઠું નાખીને સરસ રીતે હલાવો. આ મીઠાના નવશેકા પાણીમાં લગભગ 10 થી 15 મિનિટ સુધી તમારાં પગને બોળી રાખો,

આ દરમિયાન સતત ઊંડા શ્વાસ લો અને છોડો. આ પ્રયોગ દરમિયાન કોઇપણ પ્રકારના વિચારોને મનમાં ના આવવા દો.

વૈજ્ઞાનિક આધાર:


મીઠું સોડિયમ અને કલોરાઇડનું મિશ્રણ હોય છે.સોડિયમ ક્લોરાઇડના આ મિશ્રણની આ વિશેષતા છે કે આ દિવસભરના કામ-કાજ દરમિયાન શરીરમાં રહેલી નેગેટિવ એનર્જીને શોષીને વ્યક્તિને પુરી રીતે તણાવ મુક્ત કરી દે છે.

આ પ્રયોગના પત્યા બાદ તમે જોઇ શકશો કે તમારું બધો શારીરિક અને માનસિક તણાવ ઉતરી ગયો હશે અને તમે ફરી કામ કરવા માટે રિચાર્જ હશો.

આ પ્રયોગનો બીજો કીમતી લાભ એ છે કે તમને ઘેરી અને સરસ ઊંઘ આવશે.

No comments:

Post a Comment