Tuesday, 6 September 2011

ગુસ્સાને ‘ગુલ’ કરવાનો, આ અનોખો પણ અસરદાર ‘ફંડા’

વિજ્ઞાન પ્રમાણે જ્યારે પણ કોઈ વ્યક્તિને ગુસ્સો આવે છે કે તણાવ આવે છે તો શરીરમાં એડ્રિનોલીન નામના રસાયણનું ઉત્પાદન થાય છે. જે તમારા શરીરમાં ઓછામાં ઓછા 18 કલાક સુધી રહે છે. કહેવાય છે કે ગુસ્સો માણસને હૈવાન-રાક્ષસ બનાવી દે છે.

ગુસ્સામાં સમજવા-વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે. ગુસ્સો ઘણીવાર સારો પણ હોય છે, પરંતુ ઘણીવાર આપણે ગુસ્સામાં પોતાને જ નુકસાન કરી દેતા હોઈએ છીએ. એટલા માટે જો તમને ખૂબ જ વધુ ગુસ્સો આવતો હોય અને તમે તેનાથી ખૂબ જ પરેશાન હોવ તો નીચે આપેલ ટીપ્સ પ્રમાણે ઉપાય કરશો તો તમને આ સમસ્યાથી ચોક્કસ છૂટકારો મળશે.

-જોરદાર ગુસ્સો આવે ત્યારે ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દેવું જોઈએ.

-ક્રોધ એક માનસિક સ્થિતિ હોય છે આથી ગુસ્સો આવે ત્યારે પોતાના વિચારોને કોઈ અન્ય વિષયો તરફ વાળવાનો પ્રયત્ન કરો.

-ગુસ્સો આવે ત્યારે 1 થી 100 સુધી ગણતરી શરૂ કરી દો, એમ કરવાથી ગુસ્સો આપમેળે જ શાંત થવા લાગશે.

-ગુસ્સો આવે ત્યારે ગુસ્સાના કારણ વિશે વિચારો અને પોતાનું ધ્યાન બીજી તરફ લગાવવાનો પ્રયાસ કરો.

-તણાવ આવે ત્યારે થોડા સમય માટે આંખો બંધ કરી લો અને પ્રણાયામ કરવાનો પ્રયત્ન કરો.

-કોઈ કામ સમજી વિચારીને કરો અને કોઈને પણ કંઈ જ બોલતા પહેલા બે વાર વિચારો, ક્યાંક તમે કોઈને ખોટ તો નથી કરવા જઈ રહ્યા.

-વધુ ગુસ્સો આવે ત્યારે તણાવ મહેસૂસ થાય તો સંગીત સાંભળો. કહેવાય છે કે મન અને મગજ બંને શાંત થાય છે.

-ગુસ્સો આવે ત્યારે ખૂબ વધુ ખાશો નહીં પણ કામમાંથી થોડીવાર માટે આરામ લઈ ગપશપ કે પછી તમને ગમતી ગેમ પણ રમી શકો છો.

-ફરવા જતા રહો કે સેરસપાટા ઉપરા જતા રહો તો ગુસ્સો ક્યાં ગયો તે ખબર જ નહીં પડે.

-મો ઉપર ઠંડા પાણીના છાટા માટો. એક ગ્લાસ પાણી પીવો અને પોતાના વિખેરાયેલા વાળને સરખા કરવા માટે અરીસામાં જુઓ.

-જો યોગ જાણતા હોવ તો તમે યોગ કરી શકો છો. તેનાથી ઝડપથી ક્રોધ ઉપર કંટ્રોલ મેળવી શકશો.

No comments:

Post a Comment