-ભારતિય મૂળના વૈજ્ઞાનિક રાણેની ટીમે શોધ્યું આ રસાયણ
બસ એક ઈન્જેક્શન જે આપના શરીરની ચરબી ઓછી કરવામાં મદદ કરશે. ભારતીય મૂળના એક સંશોધનકર્તા સુશીલ રાણેના નેતૃત્વ હેઠળ તેમની ટીમે એક એવું રસાયણ તૈયાર કર્યું છે જે શરિરની વધારાની ચરબી ઉતારવામાં મદદરૂપ થાય છે. આ રસાયણયુક્ત ઈન્જેક્શનનું પરિક્ષણ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું.
આ ઈન્જેક્શન શરીરની વધારાની ચરબી ઓછી કરવામાં વપરાશે. દવાઓનો ઉપયોગ શરીરની ચરબી ઉતારે છે પણ તેનાથી સમય લાગે છે. તેમજ તેનાથી ક્યારેક આડઅસર પણ થાય છે.
જ્યારે રિસર્ચ કરનાર ડૉ. રાણેએ જણાવ્યું હતું કે, શરીરની વધારાની ચરબીને નિયંત્રણમાં લેવાનું પડકારરૂપ કામ હતું અને તેના માટે જ આ ઈન્જેક્શન તૈયાર કરવામાં આવ્યું છે હાલમાં તો આ ઈન્જેક્શનનું સફળ પરિક્ષણ થઈ ગયું છે.
આ ઈન્જેક્શનથી શરિરની ચરબી ઓછી થાય છે તેમજ બ્લડમાં શુગરની માત્રા પણ જળવાઈ રહે છે. ટુંક સમયમાં જ આ ઈન્જેક્શન ડૉક્ટર્સ તેમના દર્દીઓ માટે વાપરતાં થઈ જશે.
No comments:
Post a Comment