Friday, 16 September 2011

આપની કોઈપણ બીમારીને દુર કરવા લાજવબ છે આ ટિપ્સ..!



આપની કોઈપણ પ્રકારની શારીરિક પરેશાનીને દુર કરવા અક્સીર એવી ખાસ ટિપ્સ

*જો આપને ઉંઘ ન આવવાની બીમારી હોય તો રાત્રે સુતા સમયે પગના તળિયે સરસિયાનું તેલ લગાવી શકો છો.

*એક કપ ગુલાબ જળમાં અડધુ લીબૂં નિચોવી સવાર સાંજ તે પાણીથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે.

*જમવામાં 2 કેળાનું સેવન કરવાથી ભૂખ ઉઘડે છે.

*આંબળાને સુકવી તેને ખાંડી દો દરરોજ સવાર સાંજ આંબળાનો પાવડર લેવાથી ઉધરસમાં રાહત રહે છે.

* 1 ચમચી શુદ્ધ ઘીમાં હીંગ મેળવી પાણી સાથે લેવાથી પેટનો દુખાવ દુર થાય છે.

* ટામેટાં પીસી ચહેરા પર તેનો લેપ લગાવવાથી ત્વચા કાંતિમય અને ચમકદાર બને છે. ખીલ, ડાઘ ધબા અને કરચલીઓ દુર થાય છે.

* જો આપને પરસેવાની બીમારી હોય તો નહાવાંના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરો.

*કંકોલા પાણીમાં લીંબૂ નિચોવીને પીવાથી કબજીયાતની બીમારી દૂર થાય છે.

*સુતા પહેલાં સરસીયું કે ઘી નાભી પર લગાવવાથી હોઠ મુલાયમ રહે છે.

No comments:

Post a Comment