Thursday, 29 September 2011

સૌંદર્યમાં નિખાર લાવવા માટેનાં આ છે સૌથી અસરકારક નુસખા




સૌદર્ય નિખાર માટે આવતા વિવિધ બ્યુટી પ્રોડક્ટસ લાંબાગાળે ત્વચાને નુકસાન કરે છે.
- સૌંદર્યમાં પ્રાકૃતિક નિખાર અને નરમાશ જાળવવા માટે મુલતાની માટીનાં પ્રયોગથી સરળ અને અસરકારક કોઇ ઉપાય નથી.

જો તમે મોંઘા બ્યુટી પ્રોડક્ટસ, શેમ્પુ, તેલનો ઉપયોગ કરી થાકી ગયા હોય, છતાંય તમને તેનો જોઇએ તેવો ફાયદો ના થયો હોય તો એકવાર ચોક્કસ મુલતાની માટીનો ઉપયોગ કરીને જુઓ. આયુર્વેદમાં કહેવાય છે કે મુલતાની માટી એ સૌંદર્યનો ખજાનો તો છે જ, પણ તે સાથે નેચરલ કંડીશનરની સાથે તે બ્લીચ પણ છે.



 આવો, જાણીએ સૌંદર્યને નિખારવા માટેનો સૌથી સરળ અને આયુર્વેદિક નુસખાઓ.

- અડધી ચમચી સંતરાનો રસ લઇ તેમાં 4-5 ટીપાં લીંબુનો રસ, અડધી ચમચી મુલતાની માટી, અડધો ચમચી ચંદન અને થોડા ટીપાં ગુલાબ જળનાં - આ બધાને મેળવીને તેને થોડી વાર (5 મિનિટ) માટે ફ્રીજમાં રાખી દો. તેને મોં પર લગાડીને 15- 20 મિનિટ રાખો. તેના પછી પાણીથી મોં ધોઇ લો. તૈલી ત્વચા માટે આ સૌથી સારો ઉપાય છે.

-જો તમારી ત્વચા ડ્રાય હોય, તો કાજુને આખી રાત દુધમાં પલાળીને રાખો અને સવારે બારીક પીસેલી મુલતાની માટી અને મધનાં અમુક ટીપાં મેળવીને તેને સ્ક્રબ કરો.

- જો ખીલની સમસ્યા રહેતી હોય તો મુલતાની માટી એ સૌથી અસરકારક ઉપાય છે, કારણ કે મુલતાની માટી ચહેરાનાં તેલને ચુસી લે છે, જેનાથી ખીલ સુકાઇ જાય છે.

- તૈલીય ત્વચા માટે મુલતાની માટીમાં દહીં અને ફુદીનાનાં પાનનો પાવડર મેળવીને તેને અડધો કલાક રહેવા દો, પછી તેને સારી રીતે મિક્સ કરી ચહેરા અને ગરદન પર લગાડો. સુકાઇ જવા પર નવશેકા પાણીથી ધોઇ લો. તૈલી ત્વચાને ચીકાશ રહિત રાખવા માટે આ સૌથી અસરકારક નુસખા છે.

- મુલતાની માટીને એક વાટકી પાણીમાં પલાળી લો. બે કલાક બાદ જ્યારે મુલતાની માટી પુરી રીતે પલળી જાય. ત્યારે આ લેપને સુકા વાળમાં લગાડીને હળવા હાથથી વાળમાં ઘસો. પાંચ મિનિટ સુધી આમ કરો. જો ઠંડી હોય તો નવશેકા પાણીમાં અને ગરમીઓ હોય તો ઠંડા પાણીથી માથું ધોઇ લો.

No comments:

Post a Comment