Monday, 26 September 2011

આ છે સિગરેટ છોડાવવાનો દેશી ઉપાય




ધુમ્રપાન દરેક પ્રકારે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. સિગરેટ-બીડીનો દરેક કશ માણસને મોતની નજીક લઈ જાય છે. એક અધ્યયનમાં એવું સાબિત થયું છે કે ઉચ્ચ રક્તચાપથી પીડિત વ્યક્તિ જો ધુમ્રપાન કરતો હોય તો તે નપુંસક થઈ જવાનો ખતરો 27 ટકા સુધી વધી જાય છે. ત્યાં સુધી કે ધુમ્રપાન છોડી ચૂક્યા હોય તેવા પુરુષોના ધુમ્રપાન ન કરનારની તુલનામાં નપુસંક થઈ જવાની સંભાવના 11 ટકા વધુ હોય છે. જો તમે પણ સ્મોકિંગની આદતથી પરેશાન હોવ તો અપનાવો આ આસાન ઉપાય...

લીંબુઃ- બીડી, તમાકું, સિગરેટ, જર્દાના સેવનની આદત હોય તો તેનું સેવન તરત જ બંધ કરી દેવું અને જ્યારે પણ સેવન કરવાની ઈચ્છા થાય ત્યારે લીંબુ ચૂસો. થોડા ટીપા લીંબુના રસના જીભ ઉપર નાંખી સ્વાદ ખાટો કરી દો. તેનાથી તમારી તમાકું કે સિગરેટ પીવાની ઈચ્છા તરત જ સમાપ્ત થઈ જશે. આ પ્રકારે જ્યારે-જ્યારે સેવન કરવાની ઈચ્છા થાય ત્યારે લીંબુનું સેવન કરો.

વરિયાળીઃ- વરિયાળીને ઘીમાં સૂકવી તવા ઉપર સેકી લો. જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય ત્યારે અડધી-અડધી ચમચી ચાવતા જાઓ. તેનાથી સિગરેટ પીવાની ઈચ્છા સમાપ્ત થઈ જશે.

અજમોઃ- 50 ગ્રામ અજમો અને 50 ગ્રામ મોટી વરિયાળી લઈ ઘરીમાં સેકીને એક ડબીમાં ભરી રાખો. જ્યારે પણ સિગરેટ પીવાની ઈચ્છા થાય, ત્યારે આ મિશ્રણને અડધી ચમચી ચાલીને ખાઓ.

No comments:

Post a Comment