Wednesday, 14 September 2011

આ સરળ વાતોનું રાખો ધ્યાન, કબજિયાત તમારાથી રહેશે દુર

કબજિયાત એ પેટનાં અનેક રોગોનું એક કારણ છે. આની પાછળ ભોજન બરાબર પચતું ના હોય તો તેને કારણે કબજિયાતની સમસ્યા રહે છે.
આવો જાણીએ કેટલીક વિશેષ વાતો કે જેને કારણે કબજિયાતની સમસ્યા એ કાયમી બને છે.

- કોઇપણ પ્રકારની શારીરિક મહેનત ના કરવી અને આળસ રાખવી.

- અલ્પભોજન લેવું.

- શારીરિક જગ્યાએ માનસિક (મગજનું) કામ વધારે કરવું.

- ચો,કોફી વધારે માત્રામાં પીવું. ધ્રુમપાન કરવું અને દારૂ પીવું.

- ગરિષ્ઠ પદાર્થોને અર્થાત પચવામાં ભારે એવા પદાર્થોનું વધારે પડતું સેવન કરવું.

- ભોજનમાં ફાયબરનો અભાવ

- આંતરડા, લિવર અને બરોળની બીમારી. વધારે પડતાં દુ:ખ,ચિંતા, ડરને કારણે

- યોગ્ય સમયે ભોજન ના લેવુ અને મંદાગ્નિ (પાચક અગ્નિનું ધીમું પડવું)

- ખુભ ચાવી-ચાવીન ભોજન ના કરવાની કુટેવ અથવા જબરદસ્તી ભોજન કરવાથી. ઉતાવળમાં ભોજન કરવાથી.

- અકારણ કે ભુખ વગર જમવું.

- વધુ પડતાં ઉપવાસ કરવાં.

- જમતી વખતે ભોજન ચાવવાની જગ્યાએ બીજી કોઇ જગ્યા પર ધ્યાન હોવું.

No comments:

Post a Comment