વિશ્વ હૃદય દિવસ : આગામી બે વર્ષમાં વિશ્વના ૬૦ ટકા દર્દી આપણા દેશમાં જ હશે. આવા સંજોગોમાં આપણું હૃદય સ્વસ્થ છે કે કેમ તે જાણવાનો પડકાર છે. છેલ્લા એક વર્ષમાં હૃદયરોગનું નિદાન અને તેની સારવાર અંગે વિશ્વના અલગ-અલગ દેશોમાં થયેલા મહત્વનાં સંશોધન અંગે એક અહેવાલ :
તપાસ : નવી ટેક્નોલોજી સીધો રોગ માલૂમ કરશે, અત્યંત સૂક્ષ્મ બીમારી પણ સ્પષ્ટ થઈ જશે
વિશ્વ હૃદય દિવસ : આગામી બે વર્ષમાં વિશ્વના ૬૦ ટકા દર્દી આપણા દેશમાં જ હશે. આવા સંજોગોમાં આપણું હૃદય સ્વસ્થ છે કે કેમ તે જાણવાનો પડકાર છે. છેલ્લા એક વર્ષમાં હૃદયરોગનું નિદાન અને તેની સારવાર અંગે વિશ્વના અલગ-અલગ દેશોમાં થયેલા મહત્વનાં સંશોધન અંગે એક અહેવાલ :
તપાસ : નવી ટેક્નોલોજી સીધો રોગ માલૂમ કરશે, અત્યંત સૂક્ષ્મ બીમારી પણ સ્પષ્ટ થઈ જશે
૧. ન્યૂક્લીયર સ્ટ્રેસ ટેસ્ટ
ખૂબ જ થોડી માત્રામાં રેડિયોએક્ટિવ પદાર્થ હાથમાં ઈન્જેકટ કરવામાં આવે છે, જેને ટ્રેસર કહેવાય છે. તે થોડી જ વારમાં હૃદયમાંથી પસાર થઈ જાય છે. આ દરમિયાન છોડવામાં આવેલા ક્ષ-કિરણોના રીડિંગ વિશેષ કેમેરામાં કેદ કરી લેવાય છે. તેનાથી હૃદયનું સૂક્ષ્મ પરીક્ષણ કરાય છે. તેને થેલિયમ ટેસ્ટ અથવા સિસ્ટમી ટેસ્ટનાં નામથી ઓળખાવાય છે. જોકે આ રિસર્ચ હજી પ્રાથમિક તબક્કામાં છે.
કોણે ટેસ્ટ કરાવવો જોઈએ
જે લોકોને છાતીમાં દુખાવો થતો હોય તેમણે. લાંબા સમયથી ગભરાટ થઈ રહી હોય કે હૃદયની બીમારીનું જોખમ હોય. ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ આ ટેસ્ટ કરાવવો ન જોઈએ.
૨.પીઈટી સ્કેન
પીઈટી એટલે પોઝિટ્રોન એમશિન ટોમોગ્રાફી. આ ટેક્નોલોજીથી હૃદયની થ્રી-ડી તસવીર બનાવાય છે, જેનાથી તેમાં અગાઉ આવેલા હૃદયરોગના હુમલાની અસર તપાસાય છે. હૃદયના સ્નાયુઓની સ્થિતિ કેવી છે તે માલૂમ કરાય છે. હૃદયરોગના હુમલાને કારણે હજી પણ ધમનીઓમાં બ્લોકેજની તપાસ કરી શકાય છે.
કોણે ટેસ્ટ કરાવવો જોઈએ
હૃદયરોગથી પીડિત ગંભીર દર્દીને પીઈટી કરાવવાની સલાહ અપાય છે. આ ટેક્નોલોજીથી ન્યૂકલીયર સ્ટ્રેસ ટેસ્ટિંગ કરતાં વધારે સ્પષ્ટ તસવીર બનાવાય છે. પરંતુ તેમાં પણ ગર્ભવતી ને સ્તનપાન કરાવતી મહિલાઓને આ ટેસ્ટ કરાવવાની સલાહ અપાતી નથી.
૩. કાર્ડિયાક એમઆરઆઈ
કોઈપણ પ્રકારના રેડિયેશન વિના ચુંબક મારફતે હૃદયનું પરીક્ષણ કરાય છે. આ પણ મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(એમઆરઆઈ) ટેક્નોલોજી છે, પરંતુ તેનાથી હૃદયમાં લોહીનો પ્રવાહ, દબાણ, હૃદયના સ્નાયુઓની સ્થિતિનું પરીક્ષણ શક્ય બન્યું છે. આ ટેક્નોલોજીથી હૃદય સંબંધિત જન્મજાત ખામીઓ માલૂમ થઈ શકે છે. જેમને હૃદયરોગનું વારસાગત જોખમ હોય તેમને માટે આ ટેસ્ટ વધારે અસરકારક નીવડે છે.
૪. કાર્ડિયાક એમઆરએ
આ મેગ્નેટિક રેઝોનન્સ એન્જિયોગ્રામ, જે એન્જિયોગ્રાફીનું નવું સ્વરૂપ છે. એન્જિયોગ્રાફીમાં એક સ્ટેન ડાઈ શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે અને પછી કેથેટરને પણ ઈન્જેક્ટ કરીને હૃદયનું સ્કેનિંગ કરવામાં આવે છે. કાર્ડિયાક એમઆરએમાં કેથેટર ઈન્જેકટ કરવાની જરૂર નથી.
કોણે આ ટેસ્ટ ન કરાવવા
ગર્ભવતી મહિલાઓ ઉપરાંત મેદસ્વી(જાડા) વ્યક્તિને ચુંબકીય પરીક્ષણ ન કરાવવાની સલાહ અપાય છે. જે વ્યક્તિનાં શરીરમાં ધાતુની કોઈ વસ્તુ લગાવાઈ હોય(જેમ કે ફ્રેકચર પછી પ્લેટ વગેરે) તેમને આ ટેસ્ટ ન કરાવવાની સલાહ અપાય છે.
૫. ઈસીજી, ટ્રેડમિલ ટેસ્ટ : પરંપરાગત પરીક્ષણ
ઈકોકાર્ડિયોગ્રામ(ઈસીજી) અને ટીએમટી હૃદય પરીક્ષણના સૌથી સરળ વિકલ્પ છે. હૃદયની ગતિને સૌપ્રથમ આરામની સ્થિતિમાં રેકોર્ડ કરાય છે. ત્યારબાદ તેને ટ્રેડમિલ પર ઊભા રાખીને દર્દીની છાતી, ખભા અને કમર પર ઈલેક્ટ્રોડ ચીપકાવાય છે. ટ્રેડમિલની અલગ-અલગ સ્પીડ રાખીને અલગ-અલગ ઈલેક્ટ્રોડ દ્વારા કરવામાં આવેલા રેકોર્ડિંગ હૃદયની અલગ-અલગ સ્થિતિ બતાવે છે. ત્રણ ભાગમાં આ રેકોડિ·ગ ટ્રેડમિલ મોનિટર પર દેખાય છે.
આ બન્ને પરીક્ષણનાં પરિણામ હૃદયની અસામાન્ય સ્થિતિને સ્પષ્ટ કરી દે છે, પરંતુ સમસ્યા હૃદયમાં કઈ જગ્યાએ છે અને શા માટે છે તે સ્પષ્ટ થતું નથી.
સારવાર : ઓપન હાર્ટની જરૂરિયાત નથી, સારવારની નવી રીતથી દર્દ પણ નથી થતું.
૧. ડ્રગ એલ્યુટિંગ બલૂન
નવી દિલ્હી : ડ્રગ એલ્યુટિંગ બલૂન(ડીઇબી) પહેલાંથી પ્રચલિત ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ(ડીઇએસ) ટેકનિકથી વધુ અસરકારક અને ૪૦ ટકા સસ્તી સારવાર છે. મેદાંતા હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના પ્રમુખ પ્રવીણ ચંદ્રાના જણાવ્યા અનુસાર, ડીઇબી ગુબ્બારા જેવું હોય છે. તેને બંધ ધમનીની અંદર પહોંચાડવામાં આવે છે. અંદર પહોંચ્યા પછી ૩૦ સેકન્ડમાં તે ફૂલી જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ બરાબર થઈ જાય છે. તે પછી દર્દીને દવા લેવાની જરૂર નથી પડતી. આ પદ્ધતિથી બ્લડ કલોટિંગની શંકા પણ રહેતી નથી.
૨. ઇસીજી-સીટી
ન્યૂયોર્ક : અસામાન્ય હૃદયની ગતિથી પીડાતા વિશ્વભરના કરોડો દર્દીઓ માટે એક સારા સમાચાર એ છે કે હવે ઇસીજી અને સીટીનું મિશ્રણ કરીને એવી ટેકનિક તૈયાર કરાઈ છે જે વ્યક્તિના?દયના ધબકારાની સાચી તસવીર સામે લાવે. સેન્ટ લુઇસના યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં અસામાન્ય હૃદયની ગતિ ધબકારા)ના કારણે પ્રતિવર્ષ ૭૦ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.
૩. ત્વચાથી બન્યું હૃદય
સિંગાપોર : નેશનલ હાર્ટ સેન્ટર સિંગાપોરે ત્વચાની કોશિકાઓમાંથી ?દયની કોશિકાઓ બનાવવામાં સફળતા મેળવી છે. ?દય પ્રત્યારોપણ સમયે આ કોશિકાઓનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે હાર્ટફેઇલ થવાની શક્યતા ઓછી રહે છે. એનએચસીએસના સહાયક પ્રાધ્યાપક ફિલપિ વોંગના જણાવ્યા અનુસાર આ સ્ટેમ સેલ ટેકનિકમાં મોટું પરિવર્તન લાવશે.
૪. સ્ટેમ સેલ થેરપી
લંડન : સ્ટેમ સેલ ટેક્નોલોજીથી સ્ટેમ સેલને રક્તવાહિનીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. આ સ્ટેમ સેલ નુકસાનગ્રસ્ત ?દયમાં માંસપેશીઓ અને રક્તવાહિનીઓનું ફરી નિર્માણ કરે છે. તેનાથી દર્દી બીજાની સ્ટેમ સેલથી કામ ચલાવી શકે છે. હાર્ટ એટેકના ૧૨ કલાક બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તેનાથી ભવિષ્યમાં હાર્ટ ડેમેજની શક્યતા ઓછી રહે છે.
-->>>સ્વસ્થ હૃદય માટે સંતુલિત ભોજન અને નિયમિત વ્યાયામ જરૂરી છે
-૨.૭ લાખ મૃત્યુ હૃદયરોગથી થાય છે દર વર્ષે ભારતમાં
-૨૫ ટકા મૃત્યુ હૃદય સંબંધી રોગોથી થઇ રહ્યા છે
-૧.૭કરોડ લોકો વિશ્વમાં હૃદય સંબંધી રોગોને કારણે મોતના મૂખમાં ધકેલાઇ રહ્યા છે.
-૩૬ ટકા મૃત્યુ ૨૦૩૦ સુધી દેશમાં હૃદય રોગથી થશે
-૫ માંથી અક મૃત્યુ દેશમાં હૃદય રોગને કારણ થાય છે.
તપાસ : નવી ટેક્નોલોજી સીધો રોગ માલૂમ કરશે, અત્યંત સૂક્ષ્મ બીમારી પણ સ્પષ્ટ થઈ જશે
વિશ્વ હૃદય દિવસ : આગામી બે વર્ષમાં વિશ્વના ૬૦ ટકા દર્દી આપણા દેશમાં જ હશે. આવા સંજોગોમાં આપણું હૃદય સ્વસ્થ છે કે કેમ તે જાણવાનો પડકાર છે. છેલ્લા એક વર્ષમાં હૃદયરોગનું નિદાન અને તેની સારવાર અંગે વિશ્વના અલગ-અલગ દેશોમાં થયેલા મહત્વનાં સંશોધન અંગે એક અહેવાલ :
તપાસ : નવી ટેક્નોલોજી સીધો રોગ માલૂમ કરશે, અત્યંત સૂક્ષ્મ બીમારી પણ સ્પષ્ટ થઈ જશે
૧. ન્યૂક્લીયર સ્ટ્રેસ ટેસ્ટ
ખૂબ જ થોડી માત્રામાં રેડિયોએક્ટિવ પદાર્થ હાથમાં ઈન્જેકટ કરવામાં આવે છે, જેને ટ્રેસર કહેવાય છે. તે થોડી જ વારમાં હૃદયમાંથી પસાર થઈ જાય છે. આ દરમિયાન છોડવામાં આવેલા ક્ષ-કિરણોના રીડિંગ વિશેષ કેમેરામાં કેદ કરી લેવાય છે. તેનાથી હૃદયનું સૂક્ષ્મ પરીક્ષણ કરાય છે. તેને થેલિયમ ટેસ્ટ અથવા સિસ્ટમી ટેસ્ટનાં નામથી ઓળખાવાય છે. જોકે આ રિસર્ચ હજી પ્રાથમિક તબક્કામાં છે.
કોણે ટેસ્ટ કરાવવો જોઈએ
જે લોકોને છાતીમાં દુખાવો થતો હોય તેમણે. લાંબા સમયથી ગભરાટ થઈ રહી હોય કે હૃદયની બીમારીનું જોખમ હોય. ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓએ આ ટેસ્ટ કરાવવો ન જોઈએ.
૨.પીઈટી સ્કેન
પીઈટી એટલે પોઝિટ્રોન એમશિન ટોમોગ્રાફી. આ ટેક્નોલોજીથી હૃદયની થ્રી-ડી તસવીર બનાવાય છે, જેનાથી તેમાં અગાઉ આવેલા હૃદયરોગના હુમલાની અસર તપાસાય છે. હૃદયના સ્નાયુઓની સ્થિતિ કેવી છે તે માલૂમ કરાય છે. હૃદયરોગના હુમલાને કારણે હજી પણ ધમનીઓમાં બ્લોકેજની તપાસ કરી શકાય છે.
કોણે ટેસ્ટ કરાવવો જોઈએ
હૃદયરોગથી પીડિત ગંભીર દર્દીને પીઈટી કરાવવાની સલાહ અપાય છે. આ ટેક્નોલોજીથી ન્યૂકલીયર સ્ટ્રેસ ટેસ્ટિંગ કરતાં વધારે સ્પષ્ટ તસવીર બનાવાય છે. પરંતુ તેમાં પણ ગર્ભવતી ને સ્તનપાન કરાવતી મહિલાઓને આ ટેસ્ટ કરાવવાની સલાહ અપાતી નથી.
૩. કાર્ડિયાક એમઆરઆઈ
કોઈપણ પ્રકારના રેડિયેશન વિના ચુંબક મારફતે હૃદયનું પરીક્ષણ કરાય છે. આ પણ મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(એમઆરઆઈ) ટેક્નોલોજી છે, પરંતુ તેનાથી હૃદયમાં લોહીનો પ્રવાહ, દબાણ, હૃદયના સ્નાયુઓની સ્થિતિનું પરીક્ષણ શક્ય બન્યું છે. આ ટેક્નોલોજીથી હૃદય સંબંધિત જન્મજાત ખામીઓ માલૂમ થઈ શકે છે. જેમને હૃદયરોગનું વારસાગત જોખમ હોય તેમને માટે આ ટેસ્ટ વધારે અસરકારક નીવડે છે.
૪. કાર્ડિયાક એમઆરએ
આ મેગ્નેટિક રેઝોનન્સ એન્જિયોગ્રામ, જે એન્જિયોગ્રાફીનું નવું સ્વરૂપ છે. એન્જિયોગ્રાફીમાં એક સ્ટેન ડાઈ શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે અને પછી કેથેટરને પણ ઈન્જેક્ટ કરીને હૃદયનું સ્કેનિંગ કરવામાં આવે છે. કાર્ડિયાક એમઆરએમાં કેથેટર ઈન્જેકટ કરવાની જરૂર નથી.
કોણે આ ટેસ્ટ ન કરાવવા
ગર્ભવતી મહિલાઓ ઉપરાંત મેદસ્વી(જાડા) વ્યક્તિને ચુંબકીય પરીક્ષણ ન કરાવવાની સલાહ અપાય છે. જે વ્યક્તિનાં શરીરમાં ધાતુની કોઈ વસ્તુ લગાવાઈ હોય(જેમ કે ફ્રેકચર પછી પ્લેટ વગેરે) તેમને આ ટેસ્ટ ન કરાવવાની સલાહ અપાય છે.
૫. ઈસીજી, ટ્રેડમિલ ટેસ્ટ : પરંપરાગત પરીક્ષણ
ઈકોકાર્ડિયોગ્રામ(ઈસીજી) અને ટીએમટી હૃદય પરીક્ષણના સૌથી સરળ વિકલ્પ છે. હૃદયની ગતિને સૌપ્રથમ આરામની સ્થિતિમાં રેકોર્ડ કરાય છે. ત્યારબાદ તેને ટ્રેડમિલ પર ઊભા રાખીને દર્દીની છાતી, ખભા અને કમર પર ઈલેક્ટ્રોડ ચીપકાવાય છે. ટ્રેડમિલની અલગ-અલગ સ્પીડ રાખીને અલગ-અલગ ઈલેક્ટ્રોડ દ્વારા કરવામાં આવેલા રેકોર્ડિંગ હૃદયની અલગ-અલગ સ્થિતિ બતાવે છે. ત્રણ ભાગમાં આ રેકોડિ·ગ ટ્રેડમિલ મોનિટર પર દેખાય છે.
આ બન્ને પરીક્ષણનાં પરિણામ હૃદયની અસામાન્ય સ્થિતિને સ્પષ્ટ કરી દે છે, પરંતુ સમસ્યા હૃદયમાં કઈ જગ્યાએ છે અને શા માટે છે તે સ્પષ્ટ થતું નથી.
સારવાર : ઓપન હાર્ટની જરૂરિયાત નથી, સારવારની નવી રીતથી દર્દ પણ નથી થતું.
૧. ડ્રગ એલ્યુટિંગ બલૂન
નવી દિલ્હી : ડ્રગ એલ્યુટિંગ બલૂન(ડીઇબી) પહેલાંથી પ્રચલિત ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ(ડીઇએસ) ટેકનિકથી વધુ અસરકારક અને ૪૦ ટકા સસ્તી સારવાર છે. મેદાંતા હોસ્પિટલમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના પ્રમુખ પ્રવીણ ચંદ્રાના જણાવ્યા અનુસાર, ડીઇબી ગુબ્બારા જેવું હોય છે. તેને બંધ ધમનીની અંદર પહોંચાડવામાં આવે છે. અંદર પહોંચ્યા પછી ૩૦ સેકન્ડમાં તે ફૂલી જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ બરાબર થઈ જાય છે. તે પછી દર્દીને દવા લેવાની જરૂર નથી પડતી. આ પદ્ધતિથી બ્લડ કલોટિંગની શંકા પણ રહેતી નથી.
૨. ઇસીજી-સીટી
ન્યૂયોર્ક : અસામાન્ય હૃદયની ગતિથી પીડાતા વિશ્વભરના કરોડો દર્દીઓ માટે એક સારા સમાચાર એ છે કે હવે ઇસીજી અને સીટીનું મિશ્રણ કરીને એવી ટેકનિક તૈયાર કરાઈ છે જે વ્યક્તિના?દયના ધબકારાની સાચી તસવીર સામે લાવે. સેન્ટ લુઇસના યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં અસામાન્ય હૃદયની ગતિ ધબકારા)ના કારણે પ્રતિવર્ષ ૭૦ લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.
૩. ત્વચાથી બન્યું હૃદય
સિંગાપોર : નેશનલ હાર્ટ સેન્ટર સિંગાપોરે ત્વચાની કોશિકાઓમાંથી ?દયની કોશિકાઓ બનાવવામાં સફળતા મેળવી છે. ?દય પ્રત્યારોપણ સમયે આ કોશિકાઓનો ઉપયોગ કરવામાં આવશે. તેના કારણે હાર્ટફેઇલ થવાની શક્યતા ઓછી રહે છે. એનએચસીએસના સહાયક પ્રાધ્યાપક ફિલપિ વોંગના જણાવ્યા અનુસાર આ સ્ટેમ સેલ ટેકનિકમાં મોટું પરિવર્તન લાવશે.
૪. સ્ટેમ સેલ થેરપી
લંડન : સ્ટેમ સેલ ટેક્નોલોજીથી સ્ટેમ સેલને રક્તવાહિનીઓમાં પ્રવેશ કરાવવામાં આવે છે. આ સ્ટેમ સેલ નુકસાનગ્રસ્ત ?દયમાં માંસપેશીઓ અને રક્તવાહિનીઓનું ફરી નિર્માણ કરે છે. તેનાથી દર્દી બીજાની સ્ટેમ સેલથી કામ ચલાવી શકે છે. હાર્ટ એટેકના ૧૨ કલાક બાદ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તેનાથી ભવિષ્યમાં હાર્ટ ડેમેજની શક્યતા ઓછી રહે છે.
-->>>સ્વસ્થ હૃદય માટે સંતુલિત ભોજન અને નિયમિત વ્યાયામ જરૂરી છે
-૨.૭ લાખ મૃત્યુ હૃદયરોગથી થાય છે દર વર્ષે ભારતમાં
-૨૫ ટકા મૃત્યુ હૃદય સંબંધી રોગોથી થઇ રહ્યા છે
-૧.૭કરોડ લોકો વિશ્વમાં હૃદય સંબંધી રોગોને કારણે મોતના મૂખમાં ધકેલાઇ રહ્યા છે.
-૩૬ ટકા મૃત્યુ ૨૦૩૦ સુધી દેશમાં હૃદય રોગથી થશે
-૫ માંથી અક મૃત્યુ દેશમાં હૃદય રોગને કારણ થાય છે.
No comments:
Post a Comment