Tuesday, 20 September 2011

આટલું કરો, આપના દરેક કામ બની જશે સરળ!

આ સર્વે ફક્ત એમ નથી કહેતો કે તમે ડોક્ટરમાં વિશ્વાસ રાખશો તો સારુ થશે

-જીવનમાં પણ દરેક નિર્ણય પોઝિટીવીટી સાથે કરશો તો તમને સફળતા જરૂર મળશે


કહેવત છે ને દવ કરતાં વધારે દુઆનો અસર કરે છે અને હવે આ વાત વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી લીધી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોના જણાવ્યાં પ્રમાણે, દવાઓની અસર ત્યારે સૌથી વધુ હોય છે જ્યારે તે દવાઓ પર તમને વિશ્વાસ હોય.

તેમણે જણાવ્યું હતું કે, જે દર્દી ઈલાજ કરવતા સમયે તેના ડોક્ટર્સ પર વિશ્વાસ રાખે છે જેનામાં પોઝિટીવીટી હોય છે કે તે ટુંક સમયમાં જ ઈલાજ બાદ સાજો થઈ જશે તે વ્યક્તિ ઝડપથી સાજો થાય છે તેનાં કરતાં કે જેના મનમાં નકારાત્મક વિચારો હોય.

વૈજ્ઞાનિકોએ 700 લોકો પર આ પ્રયોગ કર્યો હતો. ફક્ત સામાન્ય શરદી-તાવથી પરેશાન હતાં. તેમાંના કેટલાંક લોકોને કોઈ જ દવા આપવામાં આવી ન હતી. તેમને કોઈ એન્ટિબાયોટીક દવા નહીં પણ ભૃંગરાજની ગોળી આપવામાં આવી હતી.

આ દર્દીઓને વિશ્વાસ હતો કે તેઓ ડોક્ટરની આ નવી દવાથી તેઓ સાજા થઈ જશે તેમનામાં સુધાર આવ્યો હતો જે દર્દીઓને ડોક્ટરની આ નવી ગોળી પર વિશ્વાસ ન હતો તેઓની સ્થિતિ સુધરવામાં વાર લાગી હતી.

આ સર્વે ફક્ત દર્દીઓ માટેનો ન હતો સર્વે કહે છે કે જો વ્યક્તિ તેના જીવનમાં પોઝિટીવ હશે તો તેને સફળતા જરૂરથી મળશે.

No comments:

Post a Comment