Friday, 30 September 2011

ફ્રિજને પણ ટક્કર મારે એવું છે આ દેશી ફિજ


માટલા અને કૂંજાનું પાણી પીવાનો જે આનંદ આવે છે, એ ફ્રજિના ઠંડા પાણીમાં ક્યાં? માટીનાં વાસણના ઉપયોગના બીજા પણ અનેક લાભ છે. માટલાની ખૂબીઓ વિશે થોડું જાણીએ...

-ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટલા અને કૂંજાની પારખુ હોય છે. તેઓ તો જોઇને જ કહી દે છે કે ક્યા માટલા કે કૂંજામાં પાણી વધારે ઠંડું રહેશે.-માટીના વાસણોમાં રાખેલી ખાદ્યસામગ્રી ઝડપથી બગડતી ન હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં તો આનો ઉપયોગ ફ્રજિની માફક કરવામાં આવે છે. કદાચ આ માન્યતાને લીધે જ આ વાસણોને દેશી ફ્રજિનું નામ આપવામાં આવ્યું છે. -માટલાને અંદરની તરફથી હળવા હાથે ઘસીને સાફ કરવું. નહીંતર તેના બારીક છિદ્રો બંધ થઇ જાય છે અને પાણી વધારે ઠંડું નથી થતું.

ભૌતિક સુખસગવડના આ જમાનામાં દેશી ફ્રજિ એટલે કે માટલાની માગ હંંમેશાં રહે છે. ભલે આને પસંદ કરનારા ઓછા હોય, પણ હોય તો છે જ. ‘માટલાં લો...’ ‘કૂંજા લાવ્યો...’ ‘આવ્યું દેશી ફ્રિજ...’ની બૂમો ઉનાળો શરૂ થતાંની સાથે જ સંભળાવા લાગે છે. અલબત્ત, ગ્રામ્ય વિસ્તારોમાં તો આજે પણ દેશી ફ્રિજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. એટલું જ નહીં, શહેરમાં પણ એકાદ નાનો ખૂણો તો હોય જ છે. ધીમે ધીમે લોકો આનું મહત્વ જાણવા લાગ્યા છે. એવા કેટલાય ઘર હજી જોવા મળે છે, જ્યાં આજે પણ માટીનાં અનેક વાસણોનો ઉપયોગ થાય છે.

*મૂળિયાં છે ઊંડા

માટીનાં વાસણોનો ઈતિહાસ આપણી માનવ સભ્યતા સાથે સંકળાયેલો છે. સિંધ સંસ્કૃતિના ખોદકામ દરમિયાન માટીનાં અનેક વાસણો મળી આવ્યા હતા. પહેલાંનાં જમાનામાં માટીનાં વાસણો વજનદાર હતા, આજે એ જ વાસણો વજનમાં હળવા, ગોળ અને કલાત્મક આકારમાં મળવા લાગ્યા છે.

પ્રાચીન કાળથી કુંભાર માટીનાં વાસણો બનાવે છે. કુંભાર એ કુંભકાર શબ્દનો અપભ્રંશ છે. માટલાને કુંભ કહેવામાં આવે છે અને કુંભારનો અર્થ થાય છે - માટલા બનાવનાર.

એક જમાનામાં માટલાની માગ એટલી બધી રહેતી હતી કે આખું વર્ષ કુંભાર માટલા બનાવે તો પણ લોકોને માટલા જોઇએ એટલા મળી રહેતાં નહીં. પાણી ભરવાની સાથોસાથ આપણા પૂર્વજો રસોઇ બનાવવા, દહીં જમાવવા, છાશ બનાવવા માટે પણ માટીનાં વાસણોનો ઉપયોગ કરતાં હતાં. તેઓ આ વાસણોના ગુણ પણ સારી રીતે જાણતાં હતાં. ચાલો જાણીએ, આ વાસણના ઉપયોગથી ક્યા લાભ થાય છે?

*લાભ છે અનેક

આપણે ત્યાં સૈકાંઓથી કુદરતી ચિકિત્સા પદ્ધતિમાં માટીનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં, માટીમાં અનેક પ્રકારના રોગનો પ્રતિકાર કરવાની ક્ષમતા રહેલી છે. નિષ્ણાતોના મતે, માટીનાં વાસણોમાં ભોજન કે પાણી રાખવામાં આવે, તો તેમાં માટીના ગુણ આવે છે. આથી માટીનાં વાસણમાં રાખેલા પાણી અને ભોજન આપણને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

જોકે સ્વાદના શોખીનો પણ માટીનાં વાસણોના મહત્વને સારી રીતે જાણે છે તેથી જ તો માટલા કે કૂંજાના પાણીની ઠંડક અને મહેક, તેમને ફ્રજિના પાણીથી વધારે સારું લાગે છે. માટીની નાનકડી હાંડીમાં જમાવેલું દહીં ઘટ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે.

*આજે પણ આ દેશી ફ્રિજનું પાણી પીવાની સલાહ આપે છે ડોક્ટર્સ-

સગભૉઓને ફ્રિજનું અત્યંત ઠંડું પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી. તેમને કહેવામાં આવે છે કે માટલા કે કૂંજાનું પાણી પીએ. આ પાણી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ઠંડું હોય જ છે, તેમાં માટીની મહેક પણ આવે છે.

હા, એટલી સાવધાની રાખવાનું ચોક્કસ કહેવામાં આવે છે કે માટલા અને કૂંજાને સ્વચ્છ રાખે, ઢાંકીને રાખે અને જે વાસણથી પાણી કાઢવામાં આવે, તે સ્વચ્છ જગ્યાએ મૂકવામાં આવેલું હોય.

માટલા અને કૂંજાનો ઉપયોગ કરવાના પણ કેટલાક નિયમ છે. તેના બારીક અસંખ્ય છિદ્રોને હાથથી સાફ કરી શકાતા નથી. માટીના નવા વાસણમાં પાણી ભરી, તે ક્યાંયથી ઝમતું નથી તે ચકાસી લીધા પછી માત્ર ધોઇને તરત જ ઉપયોગમાં લઇ શકાય છે. તે પછી જ્યારે ધોવું હોય ત્યારે સ્ક્રબથી અંદરની સપાટીને સાફ કરો.

માટલા અને કૂંજાનું પાણી રોજેરોજ બદલવું. લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેવાથી છિદ્રો પૂરાઇ જાય છે. પરંપરાના ઉત્તમ ઉદાહરણ છે, માટલા અને કૂંજા.

2 comments:

  1. ખૂબજ ઉપયોગી માહિતી

    ReplyDelete
  2. ❥━━━━━❤━━━━━❥

    *कर्म करो तो फल मिलता है,*
    *आज नहीं तो कल मिलता है।*

    *जितना गहरा अधिक हो कुँआ,*
    *उतना मीठा जल मिलता है ।*

    *जीवन के हर कठिन प्रश्न का,*
    *जीवन से ही हल मिलता है।*

    *"जरुरी नहीं की हर समय जुबान पर भगवान् का नाम आए, वो लम्हा भी भक्ति का होता है जब इंसान-इंसान के काम आए !!"*
    ¸.•*""*•.¸
    🌹❤🌹
    .

    ReplyDelete