Tuesday, 6 September 2011

ગળાની ખીચ-ખીચને દુર ભગાડો આ સરળ ઘરગથ્થુ ફંડાથી

ગળામાં ખીચ-ખીચ,આછો અને ભારે ખેંચાણ, ગળામાં દર્દ, અમુક વસ્તુઓ ખાવામાં અને ગળે ઉતારવામાં તકલીફ પડે છેતો ઘણીવાર ગળામાં ખરાશ આવે છે.ગળામાં થતી ખરાશની સમસ્યા સામાન્ય રૂપે વાઇરસ કે બેક્ટેરિયાથી થતા સંક્રમણના કારણે થાય છે. ક્યારેક – ક્યારેક એટિંબાયોટિક્સ લીધા બાદ પણ આ ખરાશ મટતી નથી.આવામાં ઘરગથ્થુ નુસખા સૌથી અસરકારક નીવડે છે.જો લાંબા સમય સુધી ગળાની ખરાશથી હેરાન થતાં હોવ તો આ ઉપાય ચોક્કસ અપનાવો.

- 1- 2 લસણની કળીઓ અને 2 લવિંગ લઇને તેની પેસ્ટ બનાવો અને તે 1 કપ મધની સાથે તેને મેળવો.આ મિશ્રણનુ 1 ચમચી સવાર-સાંજ સેવન કરો.

- ગરમ દુધમાં થોડી હળદરનો પાવડર મેળવી સુતા પહેલા તેનુ સેવન કરવાથી પણ આરામ મળે છે.

- એક આખી ડુંગળીને થોડા પાણીમાં ઉકાળો.તેના પછી તેને પીસીને તેમાં થોડુ માખણ અને મીઠું મેળવી લો અને આ પેસ્ટની સેવન કરો.એક જ વારમાં આરામ મળી જશે.

- મધમાં આદુનો રસ મેળવીને તેનું સેવન કરો.

- વરિયાળી ચાવવાથી પણ ગળાની ખરાશ દુર થાય છે.

- તુલસીમાં પાનને ઉકાળીને પીવાથી ગળાની ખરાશ દુર થાય છે.

No comments:

Post a Comment