Friday, 23 September 2011

એવું સુડોળ પેટ હોવું જોઈએ...કે તમારી છાપ ન બગડે !!

આજકાલ અસંતુલિત ખણી-પીણીના વધતા પ્રચલનને લીધે મોટાભાગના લોકોને અત્યધિક ચરબીની સમસ્યાઓ જોવા મળે છે. હેલ્થ પ્રત્યે સાવધાન ન રહેવાને લીધે આ સમસ્યા ધીરે-ધીરે મોટું રૂપ લઈ લેતી હોય છે અને મેદસ્વીતા વધતી જતી હોય છે.

મેદસ્વીતાના લીધે આપણા સ્વાસ્થ્યને અનેક ખતરનાક બીમારીઓનો ખતરો રહેતો હોય છે. મેદસ્વીતાને જેમ બને તેમ ઝડપથી ઓછું કરવા માટે યોગ ક્રિયાની મદદ લઈ શકાય છે. એવી જ એક ક્રિયા કપાલ ભાતિ છે, જેનાથી ચોક્કસપણે મેદસ્વીતા અર્થાત્ જાડાપુણાને નિયંત્રણ કરી શકાય છે.

ક્રિયા કરવાની વિધિઃ-

સમતળ સ્થળે સ્વચ્છ રૂમાલ કે અન્ય કોઈ કપડું પાથરી પોતાની સુવિધા પ્રમાણે આસન ઉપર બેસી જાઓ. બેસ્યા પછી પેટને ઢીલુ છોડી દો. હવે ઝડપથી શ્વાસ બહાર કાઢો અને પેટને અંદરની તરફ ખેંચો. શ્વાસ બહાર કાઢતા અને પેટને અંદર ચોટાડતી વખતે સામંજસ્ય રાખવું. શરૂઆતમાં દસ વાર આ ક્રિયા કરવી, ધીરે-ધીરે 60 સુધી વધારી દો. વચ્ચે-વચ્ચે વિશ્વાસ લઈ શકો છો. આ ક્રિયાથી ફેફસાના નીચલા ભાગમાં પ્રયુક્ત હવા અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નિકળી જાય છે અને સાયનસ સ્વચ્છ થઈ જાય છે. સાથે જ પેટ ઉપર જામેલી ફાલતુ ચરબી નાશ થઈ જાય છે.

સાવધાનીઓઃ-

-શ્વાસને લગતી બીમારીઓથી ગ્રસ્ત વ્યક્તિએ આ ક્રિયા ન કરવી.

-કપાલ ભાતિ ક્રિયા સવારેના સમયે ખાલી પેટે જ કરવી.

-કોઈ યોગ વિશેષજ્ઞની સલાહ લઈને આ ક્રિયા કરવી વધુ હિતાવહ છે.

No comments:

Post a Comment