Friday, 23 September 2011

ખાટ્ટોમીઠો ઉપાયઃ દૂર થશે ડાયાબિટિસ, કેન્સર અને દિલની બીમારીઓ - strawberry



- સ્ટ્રોબેરી એક એવું જ ફળ છે જેને નિયમિત રીતે ખાવાથી વધતી ઉંમરની અસરને રોકી શકાય
- બે અઠવાડિયા સુધી અડધા કિલો સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો લોહીમાં એન્ટીઓક્સીડેન્ટનું સ્તર વધે છે

-
ઓક્સિજન વગર કોઈપણ જીવન માટે જીવનની કલ્પના કરવી અશક્ય છે, પરંતુ આ ઓક્સિજનને કારણે શરીરમા ઓક્સીડેશનની ક્રિયા પણ થાય છે. ઓક્સિજન શરીરમાં રેડિકલ્સને જન્મ આપે છે. જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ આ એન્ટીઓક્સિડેન્ટ્સ પણ ઓછા થાય છે.

સાથે શરીરના ભોજનથી એન્ટીઓક્સીડેન્ટ્સ ખેંચવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. આ કારણે જ ભોજનમાં એન્ટીઓક્સીડેન્ટની વધુ માત્રા ધરાવતી સામગ્રીઓનો સમાવેશ કરવાની જરૂર પડે છે.

આપણા ખાવા-પીવાની કેટલીક વસ્તુઓમાં એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ હોય છે. સ્ટ્રોબેરી એક એવું જ ફળ છે જેને નિયમિત રીતે ખાવાથી વધતી ઉંમરની અસરને રોકી શકાય છે અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે.

એક રિસર્ચ પ્રમાણે એવું માનવામાં આવે છે કે સ્ટ્રોબેરી ખાવાથી રક્તમાં એન્ટીઓક્સીડેન્ટ સ્તર વધારવામાં મદદ મળે છે. માનવામાં આવે છે કે, એન્ટીઓક્સીડેન્ટ ખાવાથી તણાવ ઓછો થાય છે. સાથે જ કેન્સર, ડાયાબિટિસ, હૃદયરોગ જેવી બીમારીઓની આશંકાઓને ટાળી શકાય છે. બે અઠવાડિયા સુધી જો અડધા કિલો સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો લોહીમાં એન્ટીઓક્સીડેન્ટનું સ્તર વધવા લાગે છે.

No comments:

Post a Comment