ખાન-પાનની અનિયમિતતા, ફાસ્ટફુડ અને જંકફુડનું વધતુ પ્રમાણ,બદલાતી જીવનશૈલીને કારણે આજે લગભગ દરેક પેટ સંબંધી સમસ્યાથી પીડિત છે,
વળી કહેવાય છે કે પેટના રોગ એ દરેક રોગોનું મૂળ હોય છે. એટલે જ તો માથું જો જીવનનું કેન્દ્ર છે તો પેટ એ સ્વાસ્થયનું કેન્દ્ર છે.
અનિયમિત ખાનપાન અને અનિશ્ચિત દિનચર્યાના કારણે પેટની કોઇ ને કોઇ સમસ્યા હોવી એ જાણે સામાન્ય વાત બનતી જાય છે.
પેટમાં ગેસ થવો, કબજિયાત થવી અને મોં માં છાલા થવા એને નાની વાતો સમજી અવગણો નહી ક્યારેક આવી નાની વાતો પણ જીવલેણ સાબિત થઇ શકે છે
આવો આ સમસ્યાઓથી અપનાવો આ કેટલાક ઘરેલુ અને આયુર્વેદિક નુસખા..
- પાકેલા બેળ ફળનું યોગ્ય રીતે સેવન કરો.
- હિંગાષ્ટક ચુર્ણ,જે બજારમાં તૈયાર મળે છે એને ખાધા બાદ યોગ્ય માત્રામાં લો.
- ભોજનમાં લીલા શાક અને સલાડનું સેવન કરો.ચા,મરી-મસાલા, પચવામાં ભારે ચીજોથી દુર રહો.
- ભોજન કર્યા બાદ વજ્રાસનમાં બેસો. રાત્રિ વખતે જમણા પડખે સુવો.
- દરરોજ સવારે 2 થી 3 કિ.મી મોર્નિગ વૉક કરો.
No comments:
Post a Comment