Thursday, 4 August 2011

શું તમારા બાળકને મગફળીથી એલર્જી છે?

 
જે લોકોમાં વિટામિન ડીની માત્રા ઓછી હોય છે, તેમનામાં એલર્જી થવાની શક્યતા વધુ હોય છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિટામિન ડીની ઊણપને કારણે શરીરમાં ઈમ્યૂનોગ્લોબિઈ નામના પ્રોટિનની માત્રા ઘટી જાય છે. આ પ્રોટિન શરીરમાં એલર્જી સામે લડવા માટે રોગ પ્રતિકારક ક્ષમતાનો વિકાસ કરે છે.

નેશનલ હેલ્થ એન્ડ ન્યૂટ્રિશન એક્ઝામિનેશન સર્વે અંતર્ગત સંશોધકોએ વિટામિન ડીની ઊણપના શિકાર બાળકોમાં 17માંથી 11નો એલર્જી ટેસ્ટ હકારાત્મક આવ્યો હતો.

વિટામિન ડીની ઊણપને કારણે તેમનામાં પર્યાવરણ અને ભોજન બન્ને પ્રકારની એલર્જી જોવા મળી હતી. આ સાથે જ વિટામિન ડીની ઊણપ વાળા બાળકોમાં મગફળીથી થતી એલર્જી સામાન્ય બાળકો કરતાં 2.4 ગણી વધુ હતી.

No comments:

Post a Comment