
લીંબુ અને સંતરાની છાલની વાત કરીએ તો આપને જણાવી દઈએ કે આ ચમત્કારી વસ્તુ જેટલી શરીરમાટે લાભદાઈ છે તેની છાલ પણ એટલી જ લાભદાઈ છે.-લીંબુ કે સંતરાના સુકાયેલી છાલને બાળી તેનો ધુમાડો કરવાથી મચ્છર મરી જાય છે.
-તેને બાળી તેની રાખથી દાંત સાફ કરવામાં આવે તો તે ચમકદાર બને છે અને મોઢાની વાસથી પણ બચી શકાય છે.
-લીંબુનો રસ નિચોવ્યાં બાદ તેનો વધેલો કસ જો કોણી કે ઘૂટણ પર લગાવવામાં આવે તો તે ભાગની કાળાશ ઓછી થાય છે.
-લીંબુની છાલ ચહેરા પર ઘસવાથી ખિલની સમસ્યા ઓછી થાય છે તેમજ ડાઘા પણ પડતા નથી.
-પિત્તળ અને તાંબાના વાસણ ચમકાવવા આ છાલ ઉપયોગી છે.
-તેની છાલને મીઠું, હીંગ, મરચું, અને ખાંડ સાથે પીસવામાં આવે તો સ્વાદિષ્ટ ચટની બને છે.
-સંતરાની છાલને છાયડામાં સુકવી દો. બાદમાં તેને પીસીને તેના પાવડરને ચહેરા ગરદન પર લગાવવામાં આવે તો ડાઘ ધબ્બા દુર થાય છે.
-સંતરાની છાલને પાણીમાં નાખી નાહવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.
ઘૂટણના ઘસારા ના કારણે ચાલવા બેસવા મા તકલીફ થાય છે કોઇ ઉપચાર બતાઓ તથા કઇ પ્રકારની કસરત કરવી તે કહો
ReplyDelete