Friday, 5 August 2011

અડધી ચમચી ખાંડ ખાવાનો આટલો મોટો ફાયદો જાણો છો?

 
-અડધી ચમચી ખાંડ ફાકવાથી ગુસ્સો શાંત થઈ જાય છે

હવે જો તમને ગુસ્સો આવે તો એક ચમચી ખાંડ અથવા ચોકલેટ લેજો. ગુસ્સો ચપટીમાં શાંત થઈ જશે એવું અમેરિકન સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

સંશોધકોએ અભ્યાસ દરમિયાન એવું શોધી કાઢયું છે કે, લીંબુ શરબત પીનારાઓને સાદા લીંબું પાણી પીનારાઓની સરખામણીમાં ઓછો ગુસ્સો આવ્યો હતો.

સંશોધકોએ જણાવ્યું કે, લોહીમાં વહેતા ગ્લુકોઝને કારણે આવું થાય છે. ગ્લુકોઝ મગજને એનર્જી આપે છે. ગુસ્સા પર કાબૂ મેળવવા માટે તમે પોતાને નિયંત્રિત કરો છો ત્યારે વધુ એનર્જીની જરૂર પડે છે.

ગ્લુકોઝ મગજને આ એનર્જી આપે છે. તેથી જ્યારે ગુસ્સો આવે ત્યારે ચોકલેટ કે ગ્લુકોઝનું પાણી પીવું જોઈએ જો તે બન્નેમાંથી કંઈ ન હોય તો તમે અડધી ચમચી ખાંડ પણ ફાકી શકો છો.

No comments:

Post a Comment