Tuesday, 2 August 2011

ચીન-બ્રિટને સ્વીકાર્યો આદુંનો જાદુ

 
 
હાલમાં થયેલાં એક સંશોધનમાં ખબર પડી કે ડાયેરિયાને રોકવા માટે જાણીતી દવા એન્ટિપિસ્ટામાઇન ડ્રામામાઇન કરતાં આદું વધારે અસરકારક છે. ગભરામણ અને ઉબકા દૂર કરવા માટે આદું ખૂબ અસરકારક સાબિત થઇ રહ્યું છે. તેમજ ભૂખ પણ ઉઘાડે છે.

બ્રિટિશ સંશોધકોએ હાથ ધરેલા પરિક્ષણમાં સુકાયેલાં આદુમાંથી બનાવાયેલી ૯૪૦ મિલીગ્રામ કેપ્સૂલે બનાવવામાં આવી હતી અને તેણે ડાયેરિયા રોકવામાં અસરકારક પરિણામ આપ્યું છે. ચીનમાં પણ આદુંને ગુણકારી માનવામાં આવે છે. અહીં ચામાં ૩થી ૯ ગ્રામ આદુનો ઉપયોગ કરવામાં આવે છે.

તન અને મનને તંદુરસ્ત રાખે છે આદુ -

- શરીરના પ્રતિરોધક તંત્રને મજબૂત કરે છે.

- હાર્ટ એટેકને રોકે છે.

- લોહીની સફાઇ કરે છે.

- હાઇપરટેન્શનથી બચાવે છે.

- અસ્થમાનાં લક્ષણોને ઓછાં કરે છે.

- કફ-શરદીમાં રાહત આપે છે.

- આદુના સેવનથી ભૂખ વધારે લાગે છે

No comments:

Post a Comment