આયુર્વેદની શાસ્ત્રોક્ત ઔષધિઓમાં કુંવારપાઠું (ધૃતકુમારી) નો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે. મુખ્યત્વે કુમારી આસવનો ઉપયોગ થાય છે. ઉપરાંત સુવર્ણ ભસ્મ, રજત ભસ્મ, તામ્ર ભસ્મ, બંગ ભસ્મ, ત્રિવંગ ભસ્મ, પ્રવાલ ભસ્મ, લોહ ભસ્મ, મહડૂર ભસ્મ, અકીક ભસ્મ વગેરેમાં કુંવારપાઠાના રસની ભાવના (ઔષધિને રસમાં બરાબર ભીંજવી પછી તડકો ન લાગે એવી રીતે સૂકવી લેવાને ‘ભાવના આપવી’ કહે છે) અપાય છે.
No comments:
Post a Comment