Saturday, 30 July 2011

4000 વર્ષ જુની આ ઔષધિના ફાયદા તો જાણી લો..!

 
  ભારતની પ્રાચિન આ ઔષધીનો ઈતિહાસ 4000 વર્ષ જૂનો છે. ભારતનાં ઠંડા અને ગરમ બન્ને પ્રદેશોમાં જોવા મળતી આ ઔષધિ અન્ય કોઈ નહીં અશ્વગંધા છે.

છેલ્લા 4000 વર્ષોથી અનેક રોગમાં અક્સિર ઈલાજ તરીકે ગણવામાં આવતી આ દવાના કેટલાંક ગુણો તમે પણ જાણી લો. સ્ત્રી રોગ, શ્વાસને લગતા રોગ, અનિદ્રા, નપુંસકતા નીવારવાં આ કુદરતી દવા ચમત્કારી કહીએ તો કઈ જ મોટું નથી.

*તો જાણી લો આ રહ્યાં અશ્વગંધાના ફાયદા

-નાનું બાળક જો નબળુ હોય તો અશ્વગંધાનું ચુરણ દૂધની બોટલમાં જ મેળવીને પીવાથી ઘણો ફાયદો થાય છે. બાળકની દૂધની બોટલમાં એક ચમચી અશ્વગંધા ચુરણ આપવાથી બાળકની આંતરિક શક્તિમાં વધારો થાય છે. આ પ્રયોગ સતત 3 મહિના સુધી કરવો પડે છે. તમે બાળકનાં 4 મહિના બાદ તેને આ ચુરણ આપી શકો છો

-પુખ્ત વયના લોકોએ દરરોજ સવારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચૂરણ મેળવી પીવે તો તેમને તેમના હાડકા મજબુત બને છે. જોઈન્ટ્સના પ્રોબલમ પણ દુર થાય છે.

-અશ્વગંધાના પાન માંથી બનાવેલા લેપને ચહેરા પર લગાવતા સ્કિન સુંદર રહે છે. અને જુના ઘાના ડાઘા દુર થાય છે

-રાત્રે સુતા પહેલાં એક ગ્લાસ દૂધમાં એક ચમચી અશ્વગંધાનું ચુરણ લેવાથી તાણ દુર થાય છે. સ્ત્રીઓમાં થતા રોગ ધીરે ધીરે જડમૂળથી દુર થાય છે તેમજ પુરૂષોમાં નપુંસકતા દુર થાય છે.

નોંધ- આમ તો અશ્વગંધાનો ઉપયોગ સંપૂર્ણ પણે સુરક્ષિત છે તેમ છતાં આપને કોઈ પ્રકારની મુંઝવણ હોય તો આપ વૈધની સલાહ બાદ તેનો પ્રયોગ કરી શકો છો.

No comments:

Post a Comment