Friday, 29 July 2011

ધાણાજીરુંના પાવડરને લાંબો સમય ટકાવી રાખવા શું કરવું?

 
 
- દ્રાક્ષ આધાશીશીનું અતિ અકસીર ઔષધ ગણાય છે.
- રેશમી કપડાં પર ઇસ્ત્રી કરતી વખતે સફેદ કાગળ અથવા કપડું પાથરીને ઇસ્ત્રી કરવી.
- મકાઇનો લોટ ભાતના ઓસામણ અથવા ગરમ પાણીથી બાંધવો જોઇએ. આમ કરવાથી રોટલી કે મકાઇનો રોટલો વણતી વખતે તે તૂટશે નહીં.
- પુલાવ કે બિરિયાનીમાં ઉપયોગમાં લેવાના બાફેલાં શાકભાજીને સોડાવાળા પાણીમાં બાફવાથી તેનો કુદરતી રંગ જળવાઇ રહેશે.
- ધાણાજીરુંના પાઉડરને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે અને તેમાં જીવાત ન થાય તે માટે તેમાં હિંગના ગાંગડા મૂકી રાખવા.
- પીળા અને કડક ટામેટાંને બ્રાઉન રંગના કાગળમાં રાખવાથી તે ઝડપથી પાકી જાય છે અને ખટાશ પણ ઓછી લાગે છે.
- મિક્સરના જારને સ્વચ્છ કરવા કે તેમાંથી કોઇ અન્ય પદાર્થની દુર્ગંધ દૂર કરવા માટે બ્રેડની એક સ્લાઇસ જારમાં મૂકીને મિક્સર ચલાવો.
- ચાંદીના દાગીના ડિટર્જન્ટ પાઉડરવાળા પાણીથી ધોવા. ત્યાર બાદ તેના પર ભીનો સફેદ ચોક ઘસી સૂકાયા પછી કાપડાંથી લૂછો. દાગીના ચમકી ઊઠશે.
- ચાર કાણાંવાળા બટન ટાંકતી વખતે સામસામેના કાણાંમાં બે અલગ અલગ દોરાનો ઉપયોગ કરો. સળંગ દોરાને બદલે અલગ અલગ દોરા લેવાથી બટન વારંવાર તૂટી જતાં નથી.

No comments:

Post a Comment