Friday, 29 July 2011

શાકાહારી બનો, મોતિયાથી બચો!!

 
 
જો તમે મોતિયાથી બચવા માગતા હોવ તો વધુમાં વધુ શાકાહારી ભોજન કરો. બ્રિટનમાં તાજેતરમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ બાબત બહાર આવી છે.

આશરે ૧૫ વર્ષ સુધી કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે, ૫૦ માંસાહારી લોકોમાંથી ત્રણ લોકોને મોતિયાની તકલીફ થઈ હતી, જ્યારે એટલા જ શાકાહારી લોકોમાંથી માત્ર બેને મોતિયાની તકલીફ થઈ હતી.

સંશોધકોએ જણાવ્યું કે, શાકાહારી લોકોને મોતિયાની તકલીફ થવાની આશંકા માંસાહારી લોકોથી ૪૦ ટકા સુધી ઓછી હોય છે. ઓકસફર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. અભ્યાસનો અહેવાલ અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે

No comments:

Post a Comment