
અગાઉના સમયમાં અમુક વ્યવહાર માટે કેટલાક અલગથી રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી રહેતી હતી. પહેલાં ગુસ્સો આવે તો તેના માટે પણ એક અલગથી રૂમ રહેતો હતો. અનુચિત અંગેની પણ એક શિસ્ત હતી.
વર્તમાનમાં આપણે ગુસ્સાને તો સાથે જ લઈને ફરતા હોઈએ છીએ. દરેકનો ગુસ્સો પોતાની અંગત બાબત હોય છે. કોઈને અમુક બાબતે ગુસ્સો આવતો હોય છે તો કોઈને કોઈક બીજી જ બાબત ગુસ્સે કરતી હોય છે. કામ, મદ અને લોભ અંગત નથી હોતાં. કામનું ધ્યેય અને કેન્દ્ર નક્કી હોય છે. મદ અને લોભની પરિસ્થિતિ પણ નક્કી હોય છે, પરંતુ ગુસ્સો કઈ વાતે આવે અને કઈ વાત પર ન આવે એ નક્કી કરવું કપરું છે.
તમે તમારા ગુસ્સાને જાતે જ ઓળખો. ગુસ્સાને ઠંડો કરવાની સૌથી સીધી અને સરળ રીત નિશ્વિંતતા છે. કોઈ એક વાત પર અટકી જવું ગુસ્સાનું કારણ બની જાય છે. કોઈએ આપણું અપમાન કર્યું અને આપણે એ અપમાનની વાત પર અટકી જઈએ તો સમજી લેવું કે ગુસ્સો આવી જશે. ગુસ્સો સંક્ષિપ્ત સ્વરૂપમાં આવેલું પાગલપણું છે. ગુસ્સાવાળી વ્યક્તિ અને પાગલ માણસ વચ્ચે મૌલિક અંતર કશું જ નથી. અંતર ફક્ત એટલું જ છે કે પાગલ માણસ સ્થાયી સ્વરૂપે પાગલ હોય છે જ્યારે ગુસ્સાવાળી વ્યક્તિ અસ્થાયી પાગલ.
આજે દરેક માણસ જવાળામુખી લઈને ફરી રહ્યો છે. જે વ્યક્તિના મનમાં ગુસ્સો ભરેલો હોય છે તેની આજુબાજુનું વાતાવરણ પણ અશાંત થઈ જાય છે. આપણાં ઘરોમાં હવે ગુસ્સો ઠંડો પાડવા માટે અલગથી રૂમ નથી હોતા. હવે તો મુખ્ય દરવાજાથી માંડીને અંદરના પ્રાંગણ સુધીની દરેક ચાર દીવાલો ગુસ્સો ઠારવાનું મકાન બની ગયા છે. ગુસ્સો દૂર કરવો હોય તો સ્વજનોને મળતા રહો અને અજાણ્યા તરફ સ્મિત રેલાવતા રહો.
No comments:
Post a Comment